________________ 287 કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. પ્રત્યે સ્ત્રીઓ અતિ ગંભીર માનની નજરથી જોતી, અને પરાણે પણ પિતા પ્રત્યે તેમનું લક્ષ ખેંચવાને અવિરમ યત્ન તેઓ કરતી. કેટલીક તે આ બાબતમાં ખાસ રીતે ભાગ્યશાળી થઈ હતી. સંત મેલેનિયા કે જેણે પિતાની મિલ્કતને ભેટે ભાગે સાધુઓમાં વાપરી નાખ્યો હતો તેણે ચોથા સૈકાના આખર ભાગની લગભગ, ઈતિહાસકાર ફિનસીની સાથે સીરિઆ અને મીસરના આશ્રમમાં લાંબી જાત્રા કરી હતી. પણ ઘણું સાધુઓને એ નિયમ હતો કે કઈ પણ સ્ત્રીનું મોં કદિ જોવું નહિ, અને જે સાધુ આ વ્રત વધારે વર્ષ પાળી શકતો તે વધારે પવિત્ર ગણતે. સંત બેસિલ અત્યંત જરૂરીઆતના પ્રસંગે જ સ્ત્રીઓની સાથે ભાષણ કરત. સંત જેને અડતાળીસ વર્ષ પર્યત સ્ત્રીનું મોં જોયું નહોતું. એક મોટી પદવીના માણસની સ્ત્રીએ પિતાના ધણીને આ સંત જૈન પાસે મોકલી કહેવરાવ્યું કે મેહેરબાની કરી તેના દર્શને તેને આવવા દેવી, નહિ તે તેનું મૃત્યુ થશે. છેવટે સંતે કહ્યું કે તે જ્યારે પિતાની પથારીમાં સૂતી હશે ત્યારે પોતે જ તેની મુલાકાતે તેને ઘેર આવશે. આ વિચિત્ર સંદેશે તે ધણીએ પિતાની સ્ત્રીને કહ્યા, અને તે રાત્રીએ સ્વમામાં તે સ્ત્રી તે સંતને મળી. સંત આર સેનિયાનાં દર્શન કરવા અને પિતાને માટે તેની પાસે પ્રાર્થના કરાવવા રેમની એક યુવાન બાળાએ ઈટાલીથી અલેક્ઝાંડિયાની જાત્રા કરી. જ્યારે સંતે તેને ઠપકો આપવા માંડે ત્યારે ધ્રુજતી ધ્રુજતી તે બાળાએ આંખમાં આંસુ લાવી પિતાને યાદ કરવાની અને પિતાને માટે પ્રાર્થના કરવાની”આટલી તેની વિનંતિ સ્વીકારવાની તેને અરજ કરી આ સાંભળીને છેડાઈ ગએલા સંતે કહ્યું: “તને યાદ કરવી ! મારી જીંદગીની પ્રાર્થના જ એ થશે કે તને ભૂલી જવી !" એલેકઝાંડયાના મુખ્ય ધર્મગુરૂએ તેને આશ્વાસન આપી કહ્યું, કે જે પિશાચો સ્ત્રીઓ દ્વારા સામાન્ય રીતે સંતને ફસાવે છે, પણ તે સાધુ જે કે તેનું મુખ વિસરી જવાનો પ્રયત્ન કરશે તથાપિ તેના આત્માને માટે પ્રાર્થના તે કરશે એ બાબતને એને સશય નથી. કેટલીક વખત સ્ત્રીઓને આ ઉત્સાહ અન્ય અને વધારે વિચિક્ષણ રૂપ ધારણ કરતો, અને પુરૂષને પિશાક પહેરી પિતે જ તપધારીની