________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 285 અને કુદરતના આ આકસ્મિક સંયોગમાં પિશાચે આપેલી લાલચ એને લાગી; તેથી તેને કંપારી આવી અને સ્વસ્તિકનું ચિહન કરી ત્યાંથી તે નાસી છૂટ. પરંતુ યુવાન પુરૂષોમાં લોહી ઉન્મત્ત હોવાથી સ્વાભાવિક રીતે જ તેમની દશા બહુ કંગાળ થતી. જે તેઓ પરણીને ગૃહસ્થાશ્રમમાં રહ્યા હતા તે તેમને સુખ અને શાંતિ મળત, પરંતુ જંગલની એકાંતવાસી અંદગીમાં તેમના જીવને શાંતિ વળી શકતી નહિ. સંતોની જીવનકથાઓમાં તેમના દુઃખ અને વેદનાનું તીવ્ર ચિત્ર આપેલું છે. પ્રેમના ચટકાનું ઝેર પ્રિય બાળાના મિલાપથી જ ઉતરે છે. પરંતુ આ યુવાન પુરૂષે જંગલમાં જઈ પિતાના દેહને વધારેને વવારે ત્રાસ આપે જતા; વેદનાને લીધે પિતાની છાતી ફૂટતા; તેમની આંખમાં આંસુને પ્રવાહ તે કદિ મૂકાત જ નહિ, જે સુંદર સ્ત્રીના સમાગમને હળાહળ ઝેર જેવો તે માનતા તેના પળે પળે બદલાતા અનેક આકાર નિરંતર તેમની કલ્પનામાં ખડા થતા; અને તેને વિસ્મૃત કરવાના પ્રબળ પ્રયાસ કરવા જતાં તેની સ્મૃતિ અત્યંત સતેજ થઈ અસહ્ય થઈ પડતી. તેથી ઘણીવાર આ યુવાને દીવાના બની જતા. અને આપઘાત કરતા હતા. સંતોની જીવનકથામાં એક ઠેકાણે એવું વર્ણન આપેલું છે કે એક વખતે સંત પેકેમિયસ અને સંત પિલીમોન જંગલમાં વાત કરતા હતા ત્યાં ગાંડપણથી વ્યાકુળ બનેલા ચેહેરાવાળો એક યુવાન સાધુ તેમની રૂબરૂ ધસી આવ્યો અને કુસકાં ખાતે ખાતે ભાંગેલા સાદે પિતાના દુઃખની વાત કહેવા લાગ્યો. તેણે કહ્યું કે એક સ્ત્રી એ તેના ભોંયરામાં આવી પોતાના હાવભાવથી એને ફસાવ્યો હતો, અને પછી જમીન ઉપર તેને અધમુઓ પો મૂકીને ચમત્કારિક રીતે હવામાં તે અદશ્ય થઈ ગઈ; અને પછી આ સંત શ્રેતાઓ પાસેથી એક કારમી ચીસ પાડીને તે સાધુ જતો રહ્યો. તેમની માન્યતા પ્રમાણે દુષ્ટ પિશાચથી પ્રેરાઈ તે સાધુ જંગલમાં દેડી ગયે, અને એક પાસેના ગામડામાં ગયો. અને ત્યાં જાહેર હિમામખાનાની ઉઘાડી ભઠ્ઠીમાં કૂદકો મારી પડ્યો અને તેના અગ્નિમાં સાફ થઈ ગયો. તપોવૃત્તિમાં ઘણા આગળ વધેલા બંધુઓમાં પણ મોહને ઉથલ થયાની વિચિત્ર વાત પણ કહેવામાં આવતી હતી.