________________ 286 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. એક સંત આ બાબતમાં ખાસ નમુનારૂપ ગણાતું હતું અને સાધુઓમાં અતિ સામાન્ય લક્ષણે જે જોવામાં આવે છે તે એણે પિતાનામાં પણ આવવા દીધાં હતાં. અર્થાત પિતાની બ્રહ્મચર્ય વૃત્તિને તેને ગર્વ પણ થતા. હતો. હવે એવું બન્યું કે એક દિવસ સાયંકાળે થાકથી લેથ જેવી બની ગએલી એક સ્ત્રી તેના ભયરાના બારણે આવી અને જંગલી જનાવરે એને ફાડી ન ખાય એટલા માટે સંતની મઢીમાં એને આશરો આપવાની તે વિનંતિ કરવા લાગી. દુર્ભાગ્યે તેની વિનંતિ સંત સાહેબે સ્વીકારી. પછી પૂજ્ય બુદ્ધિને દેખાવ કરી સંતની સેવા તે કરવા લાગી, અને છેવટે તે સંતના ઉપર પિતાને હાથ મેલવાની એણે હિંમત કરી. આ સ્પર્શથી સંતનું શરીર કંપિત થઈ ગયું, અને લાંબાકાળથી વિસ્મૃત થએલો અને સૂઈ રહેલે કામવિકાર જેસથી જાગ્રત થયે. પ્રબળ પ્રેમના ઉભરામાં છાતી સરસી તે સ્ત્રીને ચાંપવાનો એણે યત્ન કર્યો, પણ તે સ્ત્રી તેની દૃષ્ટિથી લોપ થઇ ગઈ, અને તેના પતનથી પિશાચો સમૂહ એકસામટ હસવા લાગ્યો. પરંતુ આ જાતનું છેવટ પરિણામ એ આવ્યું તે પણ જાણવા જેવું છે. આપણે ધારીએ તે પ્રમાણે પછી આ સાધુ પ્રાયશ્ચિતની સજા અને પ્રાર્થના ઓથી પિતાની વિશુદ્ધિ પુનઃ પ્રાપ્ત કરવામાં પ્રવૃત્ત થયો નહિ. તાપજીવનની આશાઓ અને વૃત્તિઓને મોહ હવે તેને બિલકુલ રહ્યો નહિ. તેના સ્વપ્નવત અનુભવમાં માયારૂપ જે સુંદર સ્ત્રી માત્ર તેને ફસાવવા તેની આગળ આવી હતી તેથી તેને હૃદય ઉપર એક નવી જ જાતને પ્રકાશ પડશે, તેથી જંગલમાંથી એ નાસી ગયો, પા છે. સંસારમાં પડ્યો; સાધુઓનો સંબંધ માત્ર એણે અળગો કર્યો અને એ નવીન પ્રકાશને પગલે ચાલી નરકના મોંમાં એ જાણી જોઈને ગયે. આમ ભ્રમણામાં પણ પ્રેમનો અનુભવ થતાં સાધુ સંસારી બન્યાના દાખલા પણ અપાતા હતા. સ્ત્રીઓના સંસર્ગને ત્રાસ આ પ્રમાણે તપધારીઓને અત્યંત હતો, અને આવી કથાઓથી તે વધતે હતે. કોઈ પણ જાતને સંબંધ સ્ત્રીઓની સાથે રાખવો જ નહિ એ તેમને આગ્રહ હતો. પરંતુ આ આગ્રહ કેટલીક વખત પાળવામાં કઠણ થઈ પડત. અત્યંત સખત પધારીએ