________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 291 મૂકવાં, આ બધું એના ઈશ્વરને પ્રિય છે એમ એ સંન્યાસી તપધારી ધારત, અને પોતાના આત્માનું શ્રેય કરવાની તેની ફરજ છે એમ એ " માનતે. કુટુંબમાં રહીને કૌટુંબિક વિશુદ્ધ કર્તવ્યો કરતાં એની ભક્તિમાં ખલેલ પહોંચી જતી. ઈઝિયસ સન્યાસી થશે અને લાંબા સમય પછી જ્યારે એના બાપના અને માનપત્રો આવવા લાગ્યા ત્યારે વહાલાંની સ્મૃતિથી તેના ચિત્તની શાંતિમાં કદાચ વિક્ષેપ આવે એવી ધાસ્તીથી વગર વાંચે જ એ પત્રો તે બાળી દેતો. પિતાને એકને એક છોકરો જે આઠ વર્ષને નાનો બાળક હતું તેને સાથે લઈને અને પિતાની સઘળી માલમિલ્કતને ત્યાગ કરીને એક માણસ મઠમાં સન્યાસ ગ્રહણ કરવા ગયે. સાધુઓએ એને મઠમાં દાખલ કર્યો, અને તેના હદયને કેળવવામાં પ્રવૃત્ત થયા. " પતે ધનવાન હતો એ વાત તો એ કયારને ભૂલી ગયો હતો. પણ પિતે પિતા હતો એ વાત ભૂલી જતાં હવે તેને શીખવવી જોઈએ.” તેના નાના બાળકને તેનાથી વિખુટા પાડવામાં આવ્યો; ગંદા ચીંથરાં તેને પહેરવા આપ્યાં તેને મારતા, કૂટતા, અને અનેક પ્રકારે જાણી જોઈને તેને બહુ દુઃખ દેતા. પિતાની સમક્ષ પુત્રને આ બધું કષ્ટ આપવામાં આવતું હતું અને દુઃખથી તવાઈ જતા, એક વખત જે ચેહેરે આનંદ થી હસમુખ લાગતો હતો તે હવે નિરંતર આંસુથી છવાઈ રહે અને દુઃખથી ડૂસકાં ભરતા. એ પિતાના પુત્રને જ્ઞાન ચહેરો દિવસે દિવસે જોયા કરવાની પિતાને ફરજ પડતી. તથાપિ ઈસુ ખ્રિસ્તના પ્રેમની ખાતર અને આજ્ઞાધીનતાના સદાચારને લઈને પિતાનું હૃદય કઠિન રહેતું હતું અને તેને પિતાના પુત્રની પણ દયા આવતી નહિ. પિતાની દીનતા અને સદાચારની સંપૂર્ણતાને માટે જ તેને કાળજી હતી. છેવટે મઠાધિપતિએ એ છોકરાને લઈ નદીમાં ફેંકી દેવાનું એને કહ્યું. કાંઈ પણ દુઃખ કે દિલને કળભળાવ્યા વિના આ આજ્ઞાનું પાલન કરવા તે ચાલ્યો, અને છેવટની ઘડીએ જ સાધુઓ વચમાં પડયા અને નદીને કાંઠે તે બાળકને બચાવ્યું. આ માણસ અંતે મેટ સંત ગણાયો હતો. થીઝને એક રહેવાસી એક માધિપતિ પાસે ગયો અને પિતાને સાધુ કરવાની એણે માગણી કરી.