________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 288 ઉદેશ હ. જન–સ્વભાવની ભ્રષ્ટતા, અને ખાસ કરીને કામાસક્તિની શારીરિક ભ્રષ્ટતાની સામે એટલી બધી પ્રબળ લાગણી થઈ હતી કે લાગ ની તેવી પ્રબળતા, અસૂયા, ક્રોધ કે પૂરતા જેવા ક્ષણિક અને કવચિત દશ્ય થતા દુરાચારમાં રોકાઈ રહેલા નીતિવેત્તાએ કદિ પ્રાપ્ત કરી શક્યા હોત નહિ. તપ-વૃત્તિની નજરમાં પ્રબળ કામાસક્તિઓ ભ્રષ્ટ ગણાતી જ હતી; પરંતુ કાંઈક વિલાસી અને લાડઘેલું જીવન કે જેમાં સ્પષ્ટ અનિષ્ટતા કાંઈ હોતી નથી, જેમાં ચારિત્ર્યને નમ્ર કરવાનું વલણ હોય છે તે પણ તવૃત્તિના દષ્ટિબિંદુથી કેવળ વિરૂદ્ધ જ હતું, કારણકે તેવું જીવન પણ પરિણામે પશુવૃત્તિને જ દઢ કરે છે. તેથી થયું એમ કે જન–સ્વભાવ જાતે જ ભ્રષ્ટ છે અને દરેક જાતના સુખ ચેનમાં દુરાચાર છે એવું તીવ્ર ભાન લેકેને થવા લાગ્યું. કુંવારી જીંદગીમાં જ સર્વોત્તમ સદાચાર છે એવી માન્યતામાંથી આ પરિણામ આવ્યું. તેથી ગ્રીક-જીવનમાં જે શાંતિ, આનંદ અને ખુશમીજાજ આપણે જોઈએ છીએ તે સંત જીવનમાં રહ્યાં નહિ. બીજું પરિણામ એ આવ્યું કે કામ ક્રોધાદિ ષડ વિકારોની સામે નિરંતર થવાનું હોવાથી પુરૂષાર્થવાદ અશ્રુ આગળ આવ્યો, અને માણસ ધારે તે કરી શકે એવી માન્યતા લેકમાં દઢ થતી ગઈ. કેથલિક સંપ્રદાયે મનુષ્યની ઈચ્છી-વૃત્તિ (will) સ્વતંત્ર છે એ વાતની હમેશાં જેસભેર તરફેણ કરી છે, પરંતુ તપોવૃત્તિમાં આપણે ઈચ્છી વૃત્તિ અને આપણી ઈચ્છાઓ (desires) વચ્ચેના નૈતિક વિરોધનું તીવ્ર અને સ્પષ્ટ ભાન જેવું થાય છે તેવું અન્ય પ્રકારે ઘણું કરીને થતું નથી, અને એ ભાનની સત્યતા ઉપર નૈતિક સ્વતંત્રતાને બધે આધાર અંતે રહે છે. વળી તપવૃત્તિનું એક બીજું પરિણામ પણ આવેલું જણાય છે, જેનું બરાબર ચોક્કસ ખ્યાન કરવું મુશ્કેલ છે. જેને આપણે બળવાન પશુની પ્રકૃતિ કહીએ છીએ, અર્થાત જે પ્રકૃતિમાં વિકારની કૃતિ બળવાન છતાં તંદુરસ્ત હોય છે, તે પ્રકૃતિની સાથે કેટલાક સદ્દગુણે સ્વભાવિક રીતે જોડાએલા આપણને લાગે છે. જેવા કે ખુશમિજાજ, નિષ્કપટતા, ઔદાર્ય, ઉત્સાહ,