________________ 292 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. મઠાધિપતિએ પૂછ્યું. “તારે કેઈ સગું છે ?" “એક દીકરો છે - એ જવાબ તે માણસે આપે. વૃદ્ધ મઠાધિપતિએ ઉત્તર વાળ્યાઃ “તે છોકરાને લઈ નદીમાં નાખી આવ; પછી તારાથી સાધુ થવાય.” આ આજ્ઞાનું પાલન કરવા પિતા ત્વરાથી ચાલે, પણ તે માણસ મોકલી મઠાધિપતિએ તે છોકરાને બચાવ્યો. એને એ જ પાઠ કેટલીક વખત ચમત્કાર દ્વારા શીખવા. એક માણસ પિતાનાં ત્રણ છોકરાંને ત્યાગ કરી સાધુ થઈ ગયે. ત્રણ વર્ષ પછી આ છોકરાને પણ મઠમાં લાવવાને એણે નિશ્ચય કર્યો, પણ ઘેર જઈને જોતાં તેને માલુમ પડયું કે બે મેટાં તે કયારનાં મરી ગયાં હતાં. તેથી ત્રીજું જે છેક નાનું બાળક હતું તેને પિતાના હાથમાં લઈ એ પિતાના માધિપતિ પાસે આવ્યો. મઠાધિપતિએ તેના ભણી જોઈ પૂછ્યું. આ બાળક ઉપર તારો પ્રેમ છે?” પિતાએ જવાબ આપેઃ “હા.” માધિપતિએ ફરીને પૂછયું: “તેના ઉપર તારે ઘણે પ્રેમ છે ?" પિતાએ તેજ પ્રત્યુત્તર વાળે. મઠાધિપતિએ કહ્યું. ત્યારે એ બાળકને લઈ પેલા બળતા અગ્નિમાં નાખ.” ગુરૂની આજ્ઞા માથે ચડાવી બાપે તે બાળકને અગ્નિમાં નાખ્યું. પરંતુ બાળકને કાંઈ ઈજા થઈ નહિ. પણ વિશેષે કરીને સ્ત્રી-સંબંધીઓની સાથે તેમની વર્તણુકમાં સંતોના દિલની કઠોરતા ખાસ જણાઈ આવતી હતી. ત્રિીઓ પરત્વે આ સાધુ કિંવા સન્યાસીને ઉદ્દેશ કૌટુંબિક લાગણીઓને નષ્ટપ્રાય કરવાનો હતો. એટલું જ નહિ પરંતુ સ્ત્રીએની હાજરીથી ઉપજતા જોખમમાંથી પિતાનું રક્ષણ કરવાને ઉદ્દેશ પણ હતો. સંત-વિશુદ્ધિનું સુંદર પુષ્પ માતા કે બહેનના મુખને જેવાથી પણ વખતે વણસી જાય તે એની ભીતિ તેમને રહેતી. જ્યારે મઠાધિપતિ સિસેઝ ઘણે વૃદ્ધ, નબળો અને અપંગ થયો ત્યારે જંગલ છોડી કઈ - વસ્તીવાળા ભાગમાં જઈ રહેવા માટે એના શિવે એને સમજાવવા લાગ્યા. સીસે કહ્યું: “હું જાઉં તે ખરે, પણ ત્યાં સ્ત્રીનું મુખ જોવાનું જોખમ અને અશાંતિ મને પ્રાપ્ત ન થાય તેની ખાત્રી આપે.” અલબત્ત આવી જાતના માણસને માટે તે જંગલ જ લાયક હતું, અને તેથી તે ત્યાં જ