________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 283 અને ગરીબેને માટે અનાજના વહાણ ભરી એકલતા. એક વૃદ્ધ સાધુનું એવું વર્ણન અપાએલું છે કે તેને સ્વભાવ એ તે આનંદી અને હસમુખ હતો કે તેની હાજરી અને તેનાં વચનથી દુઃખીઆનું દુઃખ એ છું થઇ જતું હતું. પરંતુ સામાન્ય રીતે સાધુઓની ઝુંપડીઓ નિરંતર શોકનાં સ્થળો જ બની રહેતાં. તેમની જીદગી આંસુ અને ડુસકાંથી અને ગાંડીતુર બની કલ્પનાએ ઉપજાવેલા પિશાચોની સાથે ધમપછાડાથી, ભરેલી રહેતી. અને આત્માનું અકલ્યાણ કરે એવા શત્રુઓની બીકને લીધે અને તેમના વેહેમે અત્યંત ભયંકર બનાવી મૂકેલા મેતના વિચારને લીધે તેમની જીંદગીને દરેક કલાક ખારે ઝેર જે થઈ પડતો. બુદ્ધિવિષયક પ્રવૃત્તિથી જે દિલાસે મળે છે તેને આશ્રય કવચિત જ લેવા. સંત જેરામ કહે કે સાધુનું કર્તવ્ય ઉપદેશ કરવાનું નથી, પણ રેવાનું છે, જે ભ્રમણાઓ ઈશ્વરના અનુગ્રહનાં મોટામાં મોટાં ચિહને ગણતાં હતાં તેમને વશ કેળવાએલું અને શિક્ષિત મન ઘણું થોડું હતું; અને તપોવૃત્તિના આ પ્રવૃત્તિકાળમાં ઘણા વિદ્વાને છે કે સાધુ થયા હતા, પણ શરૂઆતના સાધુઓને ઘણું મોટે ભાગ અજ્ઞાન હતું અને રહેતો, એટલું જ નહિ પણ જ્ઞાન કે વિદ્વત્તાને સારી વાત તેઓ ગણતા જ નહિ. સંત એન્ટની કે જે મઠ સંસ્થાને અરે સ્થાપનાર છે તેણે જ્યારે પિતે નાનો હતો ત્યારે ભણવાની ના પાડી હતી, કારણ કે તેથી બીજા છોકરાંઓના બહુ સમાગમમાં આવવાની તેને ધાસ્તી લાગી હતી. એક સાધુ ભાષા-શાસ્ત્રી તરીકે ઘણા પ્રસિદ્ધ હતો; પણ આ પાપના પ્રાયશ્ચિતની ખાતર ત્રીશ વર્ષ પર્યત એણે મન-વ્રત લીધું હતું. આ અણગમે તેમને વિદ્યા પ્રત્યે હતો. આવા માણસની આવી રહેણમાં ચિત્તભ્રમનાં સઘળાં તો હતાં, અને ચમત્કાર અને દિવ્ય દર્શને આવશ્યક રીતે તેમને વારંવાર થતાં, મળે જ તેઓ અજ્ઞાની અને વહેમી હતા; અને તેમાં વળી એવી ધાર્મિક 68 શ્રદ્ધા તેમને હતી કે તેમના આત્માને ભ્રષ્ટ કરવા આસપાસ હવામાં પિશાચે સદા તૈયાર જ હોય છે. વળી તેઓ એમ પણ માનતા કે તેમની પ્રકૃતિથી દરેક વિકૃતિ અને કુદરતનો દરેક અવનો બનાવ ભૂત પિશાચાદિ