________________ કેન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 281 હતું તે કદાચ બરાબર આપણને તે ન કહે; તથાપિ માણસોના વિચાર અને લાગણીઓ, સંભવિતતાનું માપ અને સર્વોત્તમતાનું તેમનું દૃષ્ટિબિંદુ તે કાળે કેવાં હતાં તેને સ્પષ્ટ ખ્યાન તેઓ આપે છે. ધર્મ સભાઓના ઠરાવ, ધર્મશાસ્ત્રીઓના ગુંથીગુંથીને કરેલા ગ્રંથે, મતમતાંતર અને માન્યતાઓ અને ધર્મના કાનુને એ બધાં ધાર્મિક ઈતિહાસનાં માત્ર છેડાં છે. દુનિયાની સમક્ષ જેનું કથન થાય છે અથવા જેની દલીલ થાય છે તે જ માત્ર એનાથી જણાય છે, પરંતુ કલ્પનામાં જેને સાક્ષાત્કાર થયો હોય છે અથવા હૃદયમાં જે પવિત્ર મનાય છે તે એનાથી જણાઈ આવતાં નથી. કળાને ઈતિહાસ કે જે પિતાના અણઘડ કાળમાં માનુષિ ધોરણથી મપાતા જમાનાનું ચિત્ર બારીક પ્રમાણિકતાથી આપે છે તે આ બાબતમાં અમૂલ્ય છે; પણ ખ્રિસ્તિઓનું વિશાળ કથાપુરાણ કે જે સમયની બુદ્ધિવિષયક અવસ્થામાંથી આપઆપ ઉગી નીકળ્યું હતું, સઘળી વહાલામાં વહાલી આશાઓ, ઈચ્છાઓ, દષ્ટિાબદુઓ અને કરેલી કલ્પનાઓને સમાવેશ જે પોતામાં કરતું હતું, અને ઘણા સૈકાઓ પર્યત ખ્રિસ્તિ દુનિયાનું લેકપ્રિય સાહિત્ય જે રહ્યું હતું, તે એના કરતાં પણ વધારે અગત્યનું છે. જંગલના સતની બાબતમાં, તેમના જીવનની કેટલીક વિગતો ગમે તેવી વિચિત્ર લાગે તે પણ તે ચિત્ર કે જે નજરે જોનારાએ આલેખેલું છે તે મુખ્યાંશે ઇતિહાસસિદ્ધ છે, એમાં કશો સંશય નથી. પિતાની જાતને અનેક પ્રકારનું કષ્ટ આપવું એ સૈકાઓ પર્યત માનુષિ સર્વોત્તમતાનું મુખ્ય માપ ગણાતું હતું. હજારો ભક્તિમાન માણસે જંગલમાં જઈ પિતાની જાતને દૂર કષ્ટ આપતા અને લગભગ જંગલી જનાવરની દશામાં રહેતા, અને આ ધિક્કારવા લાયક વહેમ જમાનાની નીતિમાં સર્વોપરિ સ્થાન ભગવતે હતા, અને આ તપવૃત્તિનું ઘેલું કેટલાક સૈકાઓ સુધી ચાલી રહ્યું હતું. આ વાત સત્ય છે. તપોવૃત્તિનાં જે દષ્ટાંત આપણે ઉપર આપ્યાં છે તે તે હજારો પૈકી માત્ર થડાક જ આપેલા છે, અને તે એટલા બધા છે કે તેના ગ્રંથના ગ્રંથ લખી શકાય, અને લખાયા પણ છે. આ તપવૃત્તિમાં સંત બેનેડિકટે સુધારે કર્યો ત્યાં સુધી તેને આ નમુને એકંદરે અવિકૃત રહ્યો હતો. પશ્ચિમ તરફ