________________ -80 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને સારામાં સારા સતિ સુગ ચડે એવી ગંદકીના ઢગલા જેવા થઈ રહેતા હતા. મઠની પરિપાટીના કુળ-પિતા ગણાતા સિત એન્ટનીએ પિતાની વૃદ્ધાવસ્થા પયંત પગ ધોવાનું પાપ કદિ કર્યું નહોતું. સંત એબ્રાહમ મોટું અને પગ પણ કદિ ધોતો નહિ. છતાં તેનું જીવનચરિત લખનાર કહે છે કે તેના આત્માની સ્વચ્છતા તેના મુખ ઉપર પ્રતિબિંબિત થતી હતી એ વાત જરા વિચિત્ર લાગે છે. કોઈ સાધુને સ્વચ્છ રહેવાની ટેવ હોય તે તેની ઘણી નિંદા થતી હતી, ઇત્યાદિ અનેક દાખલાઓ છે, પણ સંત સિમિયન સ્ટાઈલાઈટસને દાખલો ઘણો ઉઝ છે. જે તપ એણે આ દયું હતું તેનું ચિત્ર ઘણું ભયાનક અને કંટાળે ઉપજાવે એવું છે. પિતાને શરીરે એવું તે સખત એ દોરડું બાંધતો કે તે માંસમાં ખુંચી જતું અને તેની આસપાસ માંસ કેહી જતું. તેમાંથી ઘણી દુર્ગત છૂટતી હતી અને તે ચાલતો ત્યારે તેમાંથી કીડા ખરતા અને તેની પથારી કીડાથી, ખદબદી જતી. મઠ છેડીને કેટલીક વખત એ ખાલી કૂવામાં રહેત, બે હાથેક વ્યાસવાળે અને સાઠ ફુટ ઉચે એ એક સ્તંભ એણે કર્યો હતો; અને ત્રીશ વર્ષ સુધી ટાઢ, તડકે અને વરસાદ વેઠીને તે એના ઉપર રહેતા અને પગ સુધી વાંકા વળી વળીને એટલી તો ઝડપથી એ નિરતર પ્રાર્થના કરતો કે એક પ્રેક્ષકે એવા 1244 ફેરા ગણ્યા, પણ પછી થાકીને તે ગણવા એણે મૂકી દીધા હતા. એક આખું વર્ષ તે એક પગે ઉભા રહ્યા હતા અને તેનો બીજો પગ ગુમડાથી ભરાઈ જઈ કહી ગયો હતે, તેનું જીવનચરિત્ર લખનાર તેમાંથી ખરી જતા કીડાને પાછો તેમાં મૂકો અને સંત કીડીને કહે કે પરમેશ્વરે તને આપ્યું છે તે ખા. અનેક માણસો તેની જાત્રાએ જતા હતા. એના મૃત્યુ સમયે તેને સ્તંભ ઉપર એક પ્રકાશિત તારો દેખાયો હતો. જોકે તેને સંતોના નમુનારૂપ લેખતા હતા અને બીજા સંતે તેનું અનુકરણ કરતા હતા. સાહિત્યના ક્ષેત્રમાં સંતોની જીવન કથાઓની અગત્યતા હજી સુધી બહુ થોડી સમજાએલી છે. ઐતિહાસિક કિંમત તેમની ન હોય તે પણ તેમની નંતિક કિંમત ઘણજ ઉંચા પ્રકારની છે. અમુક કાળે માણસોનું આચરણ કેવું