________________ 278 યુરોપીય પ્રજાના આચરણનો ઇતિહાસ. તેને વખોડતા હતા, અને અત્યંત પવિત્ર અને વિશુદ્ધ સ્ત્રીઓ તેની અનન્ય ભક્ત હતી; ઈત્યાદિ વાતે સામાન્ય રીતે માણસને તપવૃત્તિની વિરૂદ્ધ લાગે એવી છે; પરંતુ સાધુ ધર્મગુરૂઓ આવી વાત છેડતા નહિ, પણ ઈશું ખ્રિસ્તને નિષ્કલંક જન્મ, તેની કુંવારી માતા, તેની પિતાની કુંવારી છેદગી, અને તાલેવંત યુવાન માણસને તેને ઉપદેશ—એવી એવી વાતનું ખૂબ વિવેચન તેઓ કરતા. સંત પીટર અને બીજા સાધુઓ પરણેલા હતા એમ જે કઈ કહેતું કે તેઓ જવાબ દેતા કે સન્યાસી થયા પછી તેમની સ્ત્રીઓ જોડે તેમને વહેવાર નહોતે. પણ સંત પલ ઘણું કરીને કુંવારો જ હતે. ગમે તેમ હોય, પણ સાધુ ધર્મગુરૂઓની નજરમાં કુંવારે પુરૂષ પવિત્ર ગણત અને પરણેલે અપવિત્ર ગણાતું હતું. આ માની સસ્થાને પ્રચાર એકદમ ચારે તરફ પ્રસરી ગયો. એવું કહેવાય છે કે સંત જેરેમના સમયમાં ઈસ્ટરના ઉત્સવમાં પચાસ હજાર સાધુઓ ભેગા થતા. ચોથા સૈકામાં નિટ્રિયાના જંગલમાં એક જ મઠાધિ પતિની નીચે પાંચ હજાર સાધુ રહેતા હતા. ઈજીપ્તનું એક આખું શહેર તપવત પાળતું અને તેમાં વિશ હજાર કુમારિકા અને દશ હજાર સાધુ હતા. ઈજીપ્તમાં લગભગ અરધો અધ વસ્તી આ વ્રતધારી હતી, અને તેઓ અત્યંત સખત તપ કરતા. બ્રિતિ દેશમાં પણ આ પ્રવૃત્તિને અત્યંત ઉત્સાહથી વધાવી લેવામાં આવી અને લગભગ આખા દેશમાં મઠ સ્થાપાણી. પરંતુ વધારે આશ્ચર્યની વાત તો એ છે કે જેનો સ્વભાવ કે શિક્ષણ આ પ્રવૃત્તિની સામે જાય એવાં હતાં તે પણ એને ઉપદેશ આપતા. પરાણે કુંવારા રહેવામાં કેવું જોખમ રહેલું છે એ વાત સંત ઓગસ્ટાઈનના જેવું કોઈ પણ માણસ જાણતું નહોતું, છતાં તેણે જ એને પ્રચાર કરવાને ભારે પ્રયાસ કર્યો હતો. આવા અનેક સંતે તેનો ઉપદેશ કરતા એટલું જ નહિ પણ તે પ્રમાણે આચરણે પણ રાખતા. જાત્રાળુઓ જંગલમાં ભટકવા અને સંતના ચમત્કાર અને સખત તપની અનેક વાતો ભેગી કરી ફેલાવતા, તેથી સંતોના સામાન્ય લક્ષણવાળું એક નવીન દૃષ્ટિ બિંદુ ખ્રિસ્તિ સંસારમાં ઉભું થયું. તેથી આ તપધારીઓનાં સામાન્ય લક્ષણ અને વિગતે હવે