________________ 282 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ના સાધુઓ દેરાની હવાના કારણને લઈને મિસરના સાધુઓ જેવું સુખ તપ કરી શકતા નહિ, પરંતુ શ્રેષ્ઠ સર્વોત્તમતાનો તેમને વિચાર લગભગ તેમના જેવું જ હતું, અને તપમાં તેઓ ઉતરતા હતા તે સાટે ચમત્કારમાં ચડી જવાને દાવે તેઓ કરતા હતા. સંત પૈકામિયસના સમયથી ઘણાખરા સાધુઓ મઠનું જીવન ગ્રહણ કરતા હતાં, પરંતુ પૂર્વ તરફના મઠે, આજ્ઞાધિનતાની પ્રતિજ્ઞાના અગત્યના અપવાદ સિવાય, બધી બાબતો માં આશ્રમના સમૂહ જેવા જ હતા. આ આશ્રમ જંગલમાં હતા; સાધુઓ સામાન્ય રીતે જૂદી જૂદી ઓરડી કે ભયરામાં રહેતા, જમતી વખતે મૂંગા રહેતા, અને દેહને કષ્ટ આપવામાં એકબીજાથી હરીફાઈ કરતા. આ સખત દેહકો કે જેમને લીધે ઘણી વાર સાધુઓ ગાંડા બની જતા અને આપઘાત કરતા તે સખ્તાઈને વાજબી હકમાં મૂકવાના, કેટલાક ભટકતા સાધુઓ કે જેમને ધર્મગુરૂઓની સામે શીંગડીઓ માંડવાની ટેવ પડી ગઈ હતી તેમના તોફાનીપણાને અંકુશમાં લાવવાના, અને વિશેષે કરીને કેટલાક પાખંડી પંથમાં મઠની ભિક્ષાવૃત્તિ બહુ આગળ પડતી થઈ ગઈ હતી તે દાબી દેવાના, ડાક નિર્બળ યને સંત જેરોમ અને બીજાઓએ બેશક કર્યા હતા. આસ્તિક સાધુઓ ઘણું કરીને ખજુરીનાં પાત્રોની સાદડીઓ વણતા; પણ જંગલમાં રહેવું અને જરૂરીઆત થેડી, એટલે તેઓ પણ ત્વરાથી આળસુ બનવા લાગ્યા; અને સીમીઅન સ્ટાઈલાઈટસની પેઠે પિતાના વહેમને જ વળગી રહી છંદગી ગાળતા અને તેમની અત્યંત પ્રશંસા થતી. પરંતુ જન–સ્વભાવની વિવિધતા જંગલમાં ગયે મટી જતી નથી; અને તે વિવિધતા અહીં જંગલમાં પણ દેખાઈ આવતી, જ્ઞાન રહિત, વિકાર રહિત અને કલ્પના રહિત એવા ઘણાં માણસે દાસત્વની મજુરી છેડી જંગલની શાંતિ ભોગવવા નાસી જઈ સાધુ થતા, અને લાંબો કંટાળા ભરેલે વખત ઉંઘમાં કે હદય વિનાની નિત્ય-ભક્તિમાં ગાળતા, અને તેમનું લાંબુ પણ એદી અને મંદ આયુષ્ય છેવટે શાંત પણ પશુના જેવા મતમાં પૂરું થતું. કેટલાક સાધુઓ વળી જંગલમાં નિર્મળ પાણીથી વહેતા વહેળાથી નજીક ઝાડના ઝુંડમાં પિતાની ઝુંપડી બનાવતા અને મહેનત કરી ખીલતો બગીચો બનાવતા. સંત શિરોપિયનના અસંખ્ય અનુયાયી સાધુઓ જમીન ખેડતા