________________ 266 યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ, * વતા, અને વખતે ગુનેગારોને ગેરવાજબી રીતે બચાવતા; અને તેમને માટે ખાસ કાયદા કરવાની જરૂર પણ જણાઈ હતી. ધર્મગુરૂઓ જુલમી કરો માફ કરાવતા કે ઓછા કરાવતા. વિધવા અને માબાપ વિનાનાં છોકરાંને પાળવામાં આવતાં. પાદરી, સાધુ કે ગરીબને જે લૂટે અથવા તેમની દાદ સાંભળવાની જે ના પાડે તેને બહિષ્કારની ધમકી અપાતી. ધર્મ ગુરૂઓના હાથમાં છેવટે બહુ બળવાન સત્તા આવી તેનું એક કારણ તેમની આ વચ્ચે પડવાની પદ્ધતિ હતી; અને ગરીબના વાલી તરીકે તેમને મોટા મોટા વારસા મળતા તે તેમની મેટી સમૃદ્ધિનું મોટે ભાગે કારણ હતું. વખત જતાં અનેક પ્રકારે સખાવત થવા લાગી અને દરેક મઠમાંથી તેનાં કિરણે ચેતરફ પ્રસરવા લાગ્યાં. સાધુઓ અમીને દબાવતા, ગરીબોનું રક્ષણ કરતા, માંદાની માવજત કરતા, મુસાફરોને આશ્રય આપતા, કેદીઓને છોડવતા, અને જોધી શોધીને દુઃખની હરકોઈ બાબતમાં સહાય આપતા. આ પ્રમાણે આસના બરફમાં પણ મુસાફરોને આશરે મળતો. જ્યાં પૂલ ન હોય એવી નદીમાં મછો રાખી કેાઈ સાધુ મુસાફરેને પર ઉતારતે. જ્યારે રક્તપીતને રોગ યુરોપમાં ફેલાઈ લેકામાં ત્રાસ વરતાવતો હતો અને લેકેનાં મન ધાસ્તીથી ગભરાઈ ગયાં હતાં, ત્યારે તેને માટે નવી ઈસ્પીતાલે અને નવાં આશ્રમો યુરોપમાં પથરાઈ ગયાં હતાં અને રોગીની સારવાર કરવા માટે જથાબંધ સાધુઓ ત્યાં ભેગા થઈ ગયા હતા. દંતકથા કહે છે કે કેટલાક સાધુઓને રક્તપીતીઆ દ્વારા સાક્ષાત ઈશ્વરનાં દર્શન થયાં હતાં. ખ્રિસ્તિ ધર્મની આવી ભવ્ય અસર સખાવતની બાબતમાં થઈ છે. પરંતુ મોટા મેટા બનાવે કલ્પનાને જેવા આકર્ષક થાય છે તેવી આ વિશાળ પણ દંભ રહિત પ્રવૃત્તિ મેહક લાગતી નથી અને તેથી ઈતિહાસકારે તેની યથાર્થ અગત્યતા સમજી શકશે નથી એ શોચની વાત છે. મનુષ્ય જાતનું દુઃખ ઓછું કરવા માણસે આખી જીંદગી પર્યત નિસ્વાર્થતાથી સતત પ્રયત્ન કરે એ વાત જેવી તેવી નથી. ખ્રિસ્તિ ધર્મ દયાની અનેક સંસ્થાઓ આખી પૃથ્વી ઉપર પધરાવી દીધી છે; અને પારકાનું ભલું કરવામાં જ સર્વોત્તમ સદાચાર સમાએલો છે એ ઉત્તમ વિચાર કેના