________________ કન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 271 અટકે છે, અને વળી વૈદક શાસ્ત્રની જે મેટામાં મેટી શાળાઓ હોય છે તે બાંધવામાં, ઈત્યાદિ અનેક બાબતમાં ધનવાને સહાય કરે છે અને કરશે. વળી જે વાતમાં સખાવત પ્રત્યે અર્થશાસ્ત્રીને અત્યંત અણગમો હોય છે ત્યાં પણ ખાસ પ્રસંગને લીધે ખાસ મદદ કરવી વાજબી છે. ધનવાન માણસ કેને આપે છે અને શા માટે આપે છે તેનો વિચાર કર્યા વગર પૈસે ઉડાળે જાય છે તેથી ઘણું કરીને સમાજને નુકસાન થાય છે. પરંતુ જ્યાં અનાચારને અખાડો જામી પડે હોય ત્યાં જઈ દુઃખીઆની પરિસ્થિતિથી વાકેફ થઈ તેમનું જે સાંત્વન કરે છે અને પિતાની આખી જંદગી તેમના ઉદ્ધાર અર્થે ગાળે છે એવી આ ઉત્તમ પ્રકારની સખાવતથી એવું પરિણામ કવચિત જ આવે છે. સખાવતની ઉપગિતાને પ્રશ્ન એ તેના છેવટના પરિણામને જ માત્ર પ્રેમ છે. આ બાબતમાં અર્થશાસે કેટલાક ઘણું કિંમતી સામાન્ય નિયમો સ્થાપ્યા છે એ વાત ખરી; પરંતુ લગભગ એક હજાર વર્ષ પહેલાં સિસેરોએ પણ એ જ કહ્યું હતું. અને જે માણસ સામાન્ય સમજણના બળથી કાળજીપૂર્વક વિવેક વાપરી સખાવત કરી માણસોને દુઃખમુક્ત કરે છે તે, માલ્થસે ઉપદેશેલી સખાવતનું યથાર્થ અનુસરણ અજાણતાં કરે જ છે. અર્થાત દુઃખનું તાત્કાલિક નિવારણ કરવું એટલે જ ઉદ્દેશ સખાવતને ન હૈ જોઈએ. દેનારને ખરે ઉદ્દેશ લેનારનું ભલું કરવાનો હેય તે જ સખાવત ઉપયોગી થઈ શકે છે. પણ કેથલિક ગુરૂઓની સખાવતોમાં આ તત્ત્વની ગેરહાજરી હોવાથી તેમાંથી ઘણું દુર્દશાઓ ઉપજી આવેલી છે. પરે પકારનું પ્રયોજન મનુષ્ય જાતના પ્રેમને બદલે તેમણે ઈશ્વર-ભક્તિ સ્થાપ્યું. અને જોકે તેને લીધે અન્ય ધર્મીઓના દુઃખ પ્રત્યે ઘણીવાર તેઓ બેદરકારી બતાવતા, તથાપિ તેથી કરીને હૃદયના ભાવોને એવું પ્રોત્સાહન મળ્યું કે એકંદરે તેથી લાભ જ થયો છે એમ ગણવામાં અડચણ નથી. પરંતુ પછી તરત જ આ નવીન સિદ્ધાંત ભ્રષ્ટતા પાપે અને પ્રાયશ્ચિત રૂપે જ સખાવતો થવી જોઈએ એવી માન્યતા ઉભી થઈ. તેથી સ્વાર્થી સખાવતને પ્રકાર ઉભું થયું અને તેની ઘણું