________________ 270 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ, છે કે ગમત અને વિલાસમાં ખરચેલે પૈસે અનુત્પાદક છે, કારણ કે જે કે તેથી તે વસ્તુઓ પૂરી પાડનારને ફાયદો બેશક થાય છે, પણ તેનું ફળ તેના ઉપયોગમાં જ નાશ પામે છે. પરંતુ યંત્રોની બનાવટ, જમીનની સુધારણું, અને ઔદ્યોગિક સાહસની વૃદ્ધિ-આ બધા ઉત્પાદક ખર્ચ છે અને દ્રવ્ય ઉપજાવવામાં નવીન ઉત્સાહ એ અપે છે. એટલા માટે મૂડીનું ડાળ ત્વરાથી એકઠું કરવું હોય તે પૈસાને અનુત્પાદક રસ્તે ન વાપરતાં ઉત્પાદક રસ્તે વાપરો, અને મજુર વર્ગના મહેનતાણાનું નિયમન કરનારા બે કારણોમાંનું એક કારણ એકઠી થએલી મુડીની રકમ છે. આ પ્રતિજ્ઞાઓ ઉપરથી કેટલાક એવું નિગમન કાઢે છે કે જે સખાવતથી અનુત્પાદક ખર્ચ થત હોય તે દોષિત છે. પરંતુ પ્રથમ તે જે જે સખાવતેથી ગરીબ વર્ગમાં દુરઅંદેશી અને ડહાપણની ટેવ પડે અને નવીન શક્તિઓને તેમનામાં વિકાસ થાય તે બધી ઉત્પાદક હોય છે; જેવી કે સામાજીક કેળવણી, સેવિંગ બેંકની સ્થાપના, વીમા કંપનીઓ, કેટલીક વખત નાની નાની રકમ ઉછીતી આપવી તે, અથવા દુરાચાર કે ઉડાઉપણાને દાબી દેવા જે જે ઉપાય યોજાય તે તે વળી દુષ્કાળ ઈત્યાદિ સંકટને પ્રસંગે માણસને રોજી આપી સખાવત કરવી તે પણ ઉત્પાદક છે. ઉપરાંત આટલું પણ મ્યાનમાં રાખવું આવશ્યક છે કે સખાવતનો ખરે ઉદ્દેશ મનુષ્યજાતનું સુખ હોય છે અને દ્રવ્યના સંગ્રહને તે સુખના માત્ર સાધન તરીકે જ ગણુ જોઈએ; અને સખાવતના ઘણા પ્રકાર વેપારી અર્થમાં ઉત્પાદક ન હોવા છતાં તેને ઘણું સુખ જનક હોય છે અને તેમાં ગંભીર પ્રકારનું કેઈ નુકસાન હેતું નથી. જે સંકટોનું કારણ બેવકુફી કે દુરાચારહોતું નથી તેવા દુઃખમાં સહાય કરવાને ઉદાર અને વિચારશીલ બને જાતની સખાવતને ઘણે અવકાશ છે. લૂલાં, લંગડાં અને આંધળાં, દુકાળ, મકી કે લડાઈને લીધે પીડાતાં; અથવા કેઈનવીન શોધ કે કઈ ઉદ્યોગની પદ્ધતિમાં ફેરફાર થવાથી કોઈ વેપાર એકાએક પડી ભાંગવાને લીધે દુઃખી થતાં-આવાં આવાં માણસોને મદદ કરવામાં; તેમ જ ઇસ્પિતાલે કે જ્યાં દરદીઓને જૂદા રાખી તેમની સારવાર થાય છે અને તેથી રોગ ફેલાતાં