________________ 272 ચૂરેપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હાનિકારક અસર થવા લાગી; કારણકે ગરીબના ભલાની ખાતર નહિ, પણ પિતાના આત્માનું શ્રેય કરવા માટે માણસે ખેરાત કરવા લાગ્યાં. પ્રથમ તે આવી સખાવતથી ફાયદે જણવા લાગે; પણ કેટલાક સૈકાઓ પછી તેનાં બુરાં પરિણામ બહાર આવવા લાગ્યાં. અર્થશાસ્ત્રીઓની નજરમાં રેમમાં અનાજની મફત વહેંચણીથી વધારે બુરે રિવાજ કઈ હોઈ શકે નહિ; પરંતુ ખ્રિસ્તિ-ખેરાતમાં થોડે ઘણે વિવેક પણ દેખાતે. વળી મહેનત મજુરી કરવામાં લાજ મેણું નથી એમ ઘણી વાર ખ્રિસ્તિ વૃદ્ધો કહેતા અને પછીના સમયમાં બેનેડિટાઈન પંથના સાધુઓ જાતે મજુરી કરતા, અને તેથી મહેનત મજુરી તે ગુલામે જ કરે એવું તેમાં કલંક ગણાતું તે ભુંસાઈ ગયું. તેમ છતાં ખ્રિસ્તિ - સ્થાની પુષ્કળ ખેરાતનું પ્રથમ પરિણામ એ આવ્યું કે તેથી ધુતારા અને ભિખારીઓ વધી પડયા અને સાધુઓ આળસુ થવા માંડયા. તેથી વેલેન્ટિનિયને સખત કાયદે કર્યો કે મહેનત કરી શકે એવા માણસો જે નીખ માગે તે તેમને કાયમ ગુલામગીરીની સજા કરવી. પરંતુ મઠની સંસ્થાઓ વધતાં ભિખારીની સંખ્યા ઘણી વધી પડી. અને દરેક દેશમાં હજારે રૂછપુષ્ટ માણસે ઉત્પાદક મહેનતથી અલગ રહેવા લાગ્યા. ભીખનો ધંધો નીચામાં નીચ છે એવી માન્યતાથી સમાજને લાભ થાય છે, પણ તે માન્યતાને દૂર કરવી એ હવે ધર્મગુરૂઓને મુખ્ય ઉદ્દેશ થઈ પડે; અને કેદ પણ જાતની સામી મેહેનત માગ્યા વિના ભિખારીને દાન કરવામાં પુણ્ય ગણવા લાગ્યું. સંતે માગી ભીખીને પણ ભિખારીને આપતા અને વસ્ત્ર વિનાનાને પિતાનાં વસ્ત્રા આપી દેતા. આવા ઉપદેશનું પરિણામ સ્પષ્ટ જ છે. બધા કેથલિક દેશમાં માની સંસ્થાઓ દેશની આબાદીને ફેલી ખાતે ઝેરી જીવડે જ નીવડ્યો છે. દેશમાં મજુર વર્ગની સંખ્યા ઓછી થઈ, અવિચારી દાનથી લેક ટુંકી નજરના થવા લાગ્યા, સંત જેવી ગરીબાઈને વગર સમક્યું માન અપાતું, અને ઔદ્યોગિક પ્રગતિના ઉદ્દેશ અને ટે પ્રત્યે લેકે દુર્લક્ષ દાખવવા લાગ્યા. આવી સ્થિતિમાં ભૌતિક આબાદી ક્યાંથી થાય? તેથી એવી સંસ્થાઓથી લાભ કરતાં હાનિ વધારે થઈ છે. તેથી