________________ કેસ્ટનટાઈથી શાલમેન સુધી. 259 વળી વારસામાં ઉતરી આવતી ગુલામગીરીને અંત આણવા ખ્રિસ્તિ ધર્મ પિતાની જે વગ વાપરી છે તે વગ ગુલામગીરીને મળતી એક બીજી બાબત પર પણ તેણે બહુ વાપરી છે; અને તે બાબત લડાઈમાં પકડાએલા કેદીઓને દાસત્વમાંથી મુક્ત કરાવવાની હતી. ખ્રિસ્તિ સંસ્થાને પ્રયાસ આ બાબતમાં સતત અને બહુ ઉત્તમ પ્રકારનો હતો. જંગલીઓના હુમલાના ત્રાસદાયક સમયે જ્યારે આખા દેશ પાયમાલ થઈ ગયો હતે. અને મોટાં મોટાં શહેર છેડા મહીનામાં ઉજડ થઈ ગયાં હતાં, જ્યારે સમાજનું આખું બંધારણ છિન્નભિન્ન થઈ ગયું હતું, અને જ્યારે ઇટાલિના શણગારરૂપ યુવાન પુરૂષે દુશ્મનોની તીખી તરવારના ભોગ થઈ . પડયા હતા અથવા કેદી થઈ રહ્યા હતા, ત્યારે કેદીઓનું દુઃખ ઓછું કરવાને સતત પ્રયત્ન ખ્રિસ્તિ ગુરૂઓએ કર્યો છે. ગૂથ લેકના હાથમાં સપડાએલા કેટલાક કેદીઓને છોડવવા સંત અંબ્રોઝે મિલાનના દેવળના કેટલાંક ઘરેણું પણ વેચ્યાં હતાં, અને એરિયન મતવાળાએ તેના આ કાર્યને ધર્મ-ભ્રષ્ટતા કહી ઘણું નિવું હતું પણ તેની દરકાર એણે કરી નહોતી. આ રિવાજ ત્વરાથી સર્વત્ર પ્રસરી ગયે. જ્યારે રેમના લશ્કરે સાત હજાર ઈરાની કેદીઓને પકડયા પણ તેમને નીભાવવાની ના પાડી, ત્યારે એમડાના ધર્માધ્યક્ષે કહ્યું કે ઈશ્વરને સોનારૂપાના થાળ અને વાસણ ની જરૂર નથી; અને પિતાને હસ્તક સંસ્થાના જે કિંમતી દાગીના હતા તે એણે વેચી નાખ્યા, અને ખ્રિસ્તિ ધર્મના વિરોધી હોવા છતાં ઈરાનીએને છોડાવી તેમને વતન તેમના રાજાને મોકલી દીધા. કાર્બેજના બિશપે પણ રોમન કેદીઓને એવી જ રીતે છોડાવ્યા હતા અને ઘણા સંતે એમ કરતા હતા. આ કામને માટે સતે એક બીજાને નાણું પણ મોકલતા. હજારે કેદીઓને આ પ્રમાણે છૂટકે થતું. સંત એલિજીયસે તે પિતાની આખી મિલ્કત એ કામમાં રોકી હતી. સંત સિરેપિયન ઈત્યાદિએ તો પિતાની પાસે જ્યારે કાંઈ ન રહ્યું ત્યારે પિતાની જાતને વેચીને પણ એવી સહાય કરી હતી. લાંબા સમય પછી મુસલમાન લોકોના હુમલાથી યુરોપની પાછી એવી દશા થવા લાગી હતી ત્યારે પણ એવી જ દયા ખ્રિસ્તિઓએ