________________ ~-~~-~-- 260 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. -~~ કરી હતી અને ખ્રિસ્તિ કેદીઓને છોડાવ્યા હતા. અને બારમા અને તેરમા સૈકામાં ખ્રિસ્તિ કદીઓને છોડાવવા ખાસ સંસ્થાઓ પણ ઉભી થઈ હતી. જે વિષયની આપણે વાત કરીએ છીએ તેની જૂદી જૂદી શાખાઓ એક બીજામાં એવી ઓતપાત થએલી છે કે તેમાંથી એકને અલગ પાડી તેનું નિરિક્ષણ કરવું બહુ મુશ્કેલ છે. બાળ-સંરક્ષણમાં, મનુષ્ય-દગીની ઉચ્ચ ગણના કરાવવામાં, અને ગુલામગીરીનાં દુઃખ ઓછાં કરાવવામાં, ખ્રિસ્તિ ધર્મ જે જે કર્યું છે તેનું વિવેચન કરતાં, ખ્રિસ્તિ સંસ્થાએ સ્થાપેલી સખાવતોની વ્યવસ્થા પરત્વે પણ આપણે ઘણું કહેવું પડયું છે. સખાવત પરત્વે ખ્રિસ્તિ અને વિધર્મ સમાજોને ભેદ ઘણે ગંભીર છે; પણ ઘણે ભાગે આ ભેદનાં કારણું ધાર્મિક નથી, પણ અન્ય છે. જ્યાં મનુષ્યો મોટે ભાગે સ્વતંત્ર છતાં નિધન ય છે ત્યાં જ સખાવત કરવાને ઘણો અવકાશ રહે છે. પ્રાચીન સમાજમાં ગરીબાઈને સ્થાને ઘણે ભાગે ગુલામગીરી રહેતી, અને ઘણા મોટા પ્રમાણમાં ગરીબનું ગુજરાન ચોક્કસ રીતે થતું હોવાથી, ધર્માદાનું ક્ષેત્ર ઘણું સંકુચિત રહેતું. અને અત્યંત ગરીબ લેકે રમમાં ગુલામ થઈ રહેતા, તે તેથી કાંઈક ઉંચી પંક્તિનાં માણસો અમીર ઉમરાવના આશ્રિત થઈ રહેતા. વળી પ્રાચીન સમાજમાં કંગાળને દુ:ખમુક્ત કરવા એ રાજ્યનું ઘણું અગત્યનું કર્તવ્ય લેખાતું. તેથી કરીને ધર્માદાની સંસ્થાઓ ઉપરથી જ ખ્રિસ્તિ અને વિધમ સમાજેની તુલના કરવામાં તેમને અન્યાય થાય એ સ્પષ્ટ છે. પરંતુ વિધર્મીઓએ સખાવતની બાબતમાં શું શું કર્યું હતું તે આપણે જોઈએ. પ્રાચીન ગ્રીસમાં ગરીબેને નીભાવવાના ઉદ્દેશે ઘણું ઉપાય જાયા હતા, પણ એ વાત એક કારે રાખીને રેમના ગરીબોને જ વિચાર જે આપણે કરીએ તે આપણને માલમ પડે છે કે સૈકાઓ પર્યત રોમમાં ગરીબના ઘણું મોટા ભાગને નીભાવ અનાજની મફત વહેંચણી ઉપર થત હતો. તેમના એક પ્રાચીન કાળમાં પણ કોઈકોઈ પ્રસંગે આમ અનાજ મફત વહેચાતું હતું. પરંતુ રોમીય વર્ષ 630 માં કાયદો થયો કે માત્ર