________________ 263 કેસ્ટનટાઈનથી શામેન સુધી સહાય કરવા ઉપરાંત હેડીઅન બાદશાહ ગરીબ સ્ત્રીઓને બક્ષીસ આપતે હતો. એન્ટોનાઈનસ અને મારકસ ઓરિશિયસે કન્યાઓના નિભાવ માટે સંસ્થાઓ સ્થાપી હતી. ખ્રિસ્તિ ધર્મ પહેલાં ઘણું કરીને ઈસ્પિતાલે નહોતી, પણ ગરીબ માંદાઓને દવા મફત વહેંચાતી હોય એમ જણાય છે. ગુલામેને માટે ખાનગી અનાથગૃહ હતાં. અને ઘણું કરીને લશ્કરી ઇસ્પિતાલો પણ હતી. અને બીજી અનેક રીતે રાજ્ય તરફથી મદદ મળતી. દુકાળ ઇત્યાદિ સંકટના સમયે પ્રાંતના શહેરને સરકાર તરફથી મદદ મળતી: આ સખાવત ઓછી નથી. છતાં ખ્રિસ્તિ ધર્મ એ બાબતમાં સ્થાપિલા સિદ્ધાંતોની સાથે અને તેમણે કરેલી સખાવતની સાથે પ્રાચીન કાળની સખાવતે કોઈ પણ રીતે સરખાવી શકાય એમ નથી. વિધર્મીઓની બધી સખાવતે લગભગ રાજ્ય તરફથી થતી અને તેમાં જન-હિતેષણા કરતાં રાજકીય દક્ષતા વિશેષ હતી. અને નાનાં બાળકોને વેચવાને અને રખડતા મૂકવાનો રિવાજ, પ્રાણઘાતક ખેલમાં નામ નોંધાવવાની ગરીબોની તત્પરતા, અને વારંવાર પડતા દુકાળ-એ બધાં જણાવી આપે છે કે હજી સહાય કર્યા વિનાનું લેકેનું દુઃખ બહુ બાકી રહેતું હતું. ગરીબ અને દુઃખી લેને ગ્રીસમાં પણ સહાય થતી હતી, પણ તે બહુ જાજ હતી. ગ્રીસ અને રેમમાં અરસપરસ સહાય કરનારી વીમા કંપનીઓ પણ ગરીબ વર્ગમાં થઈ હતી. ગરીબો ઘણા હતા અને તેમનું દુઃખ ભાંગનારા પણ ઘણા હતા એમ જણાય છે. આતિથ્યમાં કર્તવ્ય ગણાતું હતું. પરંતુ નાની નાની બાબતમાં ગૃહસ્થની ખાનગી, ચંચળ અને નિયમસર સખાવત કે જે ખ્રિસ્તિ સમાજનું ખાસ લક્ષણ છે તે નહોતી. આવી રીતે સખાવત કરવાનું પ્રાચીન કાળમાં કોઈ જાણતું જ નહતું. બે ત્રણ નીતિવેત્તાઓ તેનું સૂચન કરે છે અને સિસેરે બે પ્રકરણમાં તેનું વર્ણન કરે છે, પણ તે વર્ણન વ્યવહાર-દક્ષ અને નિરૂત્સાહી છે. તે કહે છે કે મનુષ્યના સ્વભાવને ઉદારતા બહુ અનુકૂળ છે એ વાત ખરી, પણ તેમાં બહુ સંભાળ રાખવાની જરૂર છે. સખાવત લેનારને તે ખરા આશિર્વાદરૂપ થવી જોઈએ; આપણી શક્તિ ઉપરાંત તે