________________ કેન્સ્ટનટાઇનથી શાર્લમેન સુધી. 261 નામની જ કિંમતે ગરીબને અનાજ પૂરું પાડવું. પરંતુ આ કાયદાને સતત અમલ થતો નહિ અને વારંવાર તેને સજીવન કરે પડત. સીઝરના લાભમાં અનેક ગરીબ રહેતા હતા તે જઈ તેની જોકપ્રિયતા અટકાવવા આ કાયદાને બહુ બહેળો અમલ રોમીય વર્ષ 691 માં કરવામાં આવ્યો. હતો. ચાર વર્ષ કેડે આ નામની જૂજ કિંમત લેવાતી હતી તે પણ કાઢી નાખવામાં આવી અને તેથી ગરીબોને સાવ મફત અનાજ મળવા લાગ્યું. આ વહેંચણ મહીનામાં એકવાર થતી અને માથાદીઠ આશરે દોઢેક મણ અનાજ અપાતું. જૂલિયસ સીઝરના વખતમાં ત્રણ લાખ અને વીશ હજાર માણસોને એવી રીતે અનાજ મળતું હતું. આ સંખ્યા જૂલિયસ સીઝરે અરધી કરી નાખી હતી. પણ ઓગસ્ટસના સમયમાં પાછી એ સંખ્યા બે લાખની થઈ ગઈ હતી. વરસમાં ત્રણ ચાર વખત વહેંચણી કરી નાખવાની આ શેહેનશાહની ઈચ્છા થઈ હતી, પણ લેકની ઈચ્છાને તાબે થઈ મહીને મહીને વહેંચણી કરવાનો રિવાજ એણે ચાલુ રાખે. પછી થોડા જ સમયમાં એ વાત રેમના જીવનમાં અગત્યની થઈ પડી; અને અનાજ પૂરું પાડવા ખાસ અમલદારોની નિમણુંક થવા લાગી. રેમને અનાજ પૂરું પાડવાની વાત પ્રાંતના હાકેમોને હવે મુખ્ય થઈ પડી. અનાજ લેનારાની સંખ્યા પણ વધી પડી, અને વખતે તે સંખ્યા પાંચ લાખ ઉપર પણ થઈ જતી. સેપ્ટિમસ સેવેરસ અનાજની સાથે થોડું થોડું તેલ પણ આપતે. રેલિયન મહીને મહીને કાચું અનાજ આપવાને બદલે રોજ રોટલા આપતે. અને કાન્ટિનોપલ, એલેક્ઝાંડિયા ઈત્યાદિ શહેરોમાં પણ અનાજ આપવાને રિવાજ દાખલ થઈ ગયે. રોમની નીતિને ભ્રષ્ટ કરનારું આ પણ એક કારણ હતું એ આપણે. આગળ કહ્યું છે. અવિવેકી સખાવતથી લેનારનું ચારિત્ર્ય ભ્રષ્ટ થાય છે, પણ દેનારને તેની લાભપ્રદ અને કોમળ અસર થાય છે, અને તે દ્વારા એકંદરે સમાજને પણ તેની અસર થાય છે. પરંતુ રોમની આ અનાજની વહેંચણીમાં માત્ર રાજકીય મુદો જ હોવાથી લેકેની નીતિઉપર તેની અસર બીલકુલ થઈ નહિ; અને શારીરિક નિર્બળતા કે ચારિત્ર્યના સિદ્ધાંત ઉપર નહિ