________________ કોન્સ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 257 ધર્મ નાશ કર્યો અને ગુલામોના હૃદયમાં નીતિને સિદ્ધાંત સ્થાપીને તેમને એણે ઉદ્ધાર કર્યો. ત્રીજો પ્રકાર એ હતો કે ગુલામેને મુક્ત કરાવવાને ખ્રિસ્તિ ધર્મને પ્રયાસ સતત ચાલુ રહ્યા હતા. કેન્સ્ટનટાઈનના કાયદાથી તેમને મુક્ત કરવાની ક્રિયા પાદરી વર્ગની દેખરેખ તળે મૂકાણી; અને જેને મઠમાં જવું હોય અથવા પાદરી થવું હોય તેને ગુલામગીરીમાંથી છૂટા થવા માટે ખાસ સગવડતા કરી આપે એવા ઘણા કાયદા થયા. આથી કરીને ગુલામને ટા કરવાનું કામ પવિત્ર મનાવા લાગ્યું. અને જે કે તે કરવાનું કર્તવ્ય છે અગર આવશ્યકતા છે એવું જાહેરમાં કથન થતું નહિ, તથાપિ કરેલાં પાપ માટે પ્રાયશ્ચિત કરવાનો સૌથી સરસ રસ્તો એ છે કે ગુલામોને છૂટા કરવા અગર કરાવવા એવી માન્યતા ખ્રિસ્તિ ધર્મ ઉભી કરી, અને તે તે પ્રમાણે ઉપદેશ કરવા લાગ્યા. એવું કહેવાય છે કે સંત મેલેનિયાએ આઠ હજાર ગુલામોને છૂટા કર્યા હતા; ત્યાદિ-ઘણું ગૃહસ્થ પણ પિતાના ગુલામોને છૂટા કરવા લાગ્યા હતા. આમ ગુલામને ટા કરવા એ ધર્મનું કાર્ય મનાવા લાગ્યું. અને દરેક શુભ પ્રસંગે અને અનેક નિમિત્તે આ કાર્ય થવા લાગ્યું. મંદવાડમાંથી ઉઠતાં મનુષ્યો પિતાના ગુલામોને છૂટા કરતા; બાળકને જન્મ થાય તેની ખુશાલીમાં ગુલામે મુક્ત થતા; મરતી વખતે ધર્મનું કામ જાણી માણસે ગુલામોને છૂટા કરતા; પિતાની પાછળ ગુલામોને છૂટા કરવા એવાં વસિઅતનામાં પણ થવા લાગ્યાં. પિતાના આત્માની શાંતિ અર્થે ગુલામોને સ્વતંત્રતાની બક્ષીસ કરવી એ વાત મધ્યકાળના જમાનામાં મોટે ધર્માદે ગણાતા હતા. તેરમા સૈકામાં જ્યારે ધાર્મિક ઉત્સવોને પ્રસંગે ટા કરવાને ગુલામ કાન્સમાં નહોતા, ત્યારે જૂના કાળમાં એ પ્રસંગે આવી ખેરાત થતી હતી એ બતાવવાની ખાતર પાંજરામાં કેદ પડેલા કબુતરને ઉડાડી મૂકવામાં આવ્યા હતા. અને ઈશુ ખ્રિસ્તને નામે કેદીઓ હજી પણ કદિ છૂટે છે. * - તથાપિ કોન્સ્ટનટાઈનના સમય પછી લગભગ આઠસ વર્ષ પર્યત ગુલામગીરીને રિવાજ યુરોપમાં ચાલુ રહ્યો હતો, અને જે સમયની આપણે