________________ 256 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હોય છે. હવે, આપણે જે એટલી વાત લક્ષમાં રાખીએ કે મહાશયતા, આત્માશ્રય, ગૌરવ, સ્વતંત્રતા, અર્થાત ચારિત્ર્યની ઉંચી નજર જ રેમન લમાં સદાચારનું શિખર ગણાતું હતું, તે સ્પષ્ટ છે કે આ નમુને ખાસ કરીને સ્વતંત્ર મનુષ્યોને માટે જ ગ્યા હોય છે અને ગુલામની દશા તેના વિકાસને માટે ઘણા મોટા અંશે પ્રતિકૂળ હોય છે. પરંતુ સેવક વર્ગના સદાચારને નીતિના નમુનામાં અગ્રસ્થાન ખ્રિસ્તિ ધર્મ જ પ્રથમ આપ્યું. દીનતા, આજ્ઞાધીનતા, નરમાશ, સહનશીલતા, ઈશ્વરની ચ્છિાને આધીન રહેવાની ટેવ, ઇત્યાદિ ગુણે ખ્રિસ્ત ચારિત્ર્યમાં મુખ્ય અથવા મુદાના સદાચાર છે. વિધર્મીઓ આ સદાચારના બેદરકાર રહ્યા હતા અથવા તેમની હલકી ગણના તેમણે કરી હતી, પરંતુ આ સઘળા સદાચાર સેવક વર્ગની સ્થિતિમાં વિકાસ પામી આબાદ થઈ શકે એવા હતો. તેથી નૈતિક નમુનાની દૃષ્ટિ સેવક વર્ગ પ્રત્યે ખ્રિસ્તી ધર્મ ફેરવી નાખી એ વાત ઘણી અગત્યની અને લક્ષમાં રાખવા જેવી છે. કોઈ અમુક વર્ગના ખાસ સદાચારને જે કોઈ ધર્મ પિતાના જ ખાસ સદાચાર ગણી શકે તે તે ધર્મના સામાજીક અને રાજકીય સંબંધો ઉપર તેની ઘણી જ ગંભીર અસર ઉત્પન્ન થાય છે; અર્થાત સદાચારની અમુક જાતને અથવા સમૂહને જે કઈ ધર્મ પ્રાધાન્ય આવે તે સમાજમાં અને રાજ્યમાં તે ધર્મને સંબંધ ઘણો ગંભીર થઈ જાય છે. સેવક વર્ગની સ્થિતિને જે ખાસ સદાચાર અનુકૂળ છે તે સદાચાર પ્રાચીન કાળમાં એટલું તે ઓછું માન પામતા કે પિતાને બંધબેસતા પ્રદેશમાં પણ તે કેળવાતા નહોતા. સારાં માણસોની મહદ્ ઈચ્છાઓ તદન જુદી જ દિશામાં પ્રવૃત્ત રહેતી હતી. ઈકને સદાચાર સંકટને સમયે ખીલી નીકળતે તે હલકી સ્થિતિમાં ઘણું કરીને હમેશાં કરમાઈ જ. ખ્રિસ્તિ ધર્મની અસરને લીધે નીતિની મહાન ચળવચળ સેવક-વર્ગમાં ઉત્પન્ન થઈ. તેથી કરીને સેવક-વર્ગમાં મહાન નીતિના સંસ્કાર જન્મ પામ્યા, અને જથાબંધ ગુલામે ખ્રિસ્તિઓ થવા લાગ્યા. અને ઘણુ ગુલામ ધર્મવીર બની સંતની પદવીને પ્રાપ્ત થયા. આ પ્રમાણે ધિક્કારની જે નજરથી શેઠ ગુલામ પ્રત્યે જોતા હતા તેને ખ્રિસ્તિ