________________ 250 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ગાન કરતાં કરતાં તેઓ તેમાં ઝંપલાતાં. આવા ઘણા પ્રકારના ઉન્માદથી લેકે આપઘાત કરતા હતા. પણ તે વૈદકશા અને વિષય છે, નીતિશાસ્ત્રને નથી. પરંતુ ગ્રીસ અને રમના સાહિત્યને પુનર્જીવન પ્રાપ્ત થતાં, વાજબી અને ગેરવાજબી આત્મહત્યાનો ભેદ લેકમતમાં પડવા લાગ્યો. તેથી જ્યારે કોઈ રાજદ્રોહી શારીરિક યાતનાના ભયથી ત્રાસ પામી મિત્રોને બચાવવા આત્મઘાત કરતા ત્યારે તેમાં પિતે પાપ કરે છે એમ તે માનતે નહિ. સત્તરમા અને અઢારમા સૈકાના પ્રથમ અર્ધ ભાગમાં યુરોપના બીજા દેશે કરતાં ઇંગ્લડમાં આત્મહત્યાના દાખલા વધારે બનતા. સર ટૅમસ મુર પિતાના યુટોપિયા નામના ગ્રંથમાં અસાધ્ય રોગથી પીડાતા દરદીઓને જ આત્મહત્યાની છૂટ આપે છે. આત્મહત્યાના બચાવમાં આ સમયે ઘણું લેખ પણ લખાયા છે. પરંતુ તેમાં ફેંચ-ઉત્ક્રાંતિ સમયના ફેંચ ફિલસુફના લેખ બીજા કરતાં વધારે અસરકારક છે. મોન્ટેન પ્રાચીન કાળના દાખલા ટાંકી આત્મહત્યાને વખાણે છે. મેંટેઝકયું પણ તેની તરફેણ કરે છે. રૂસે એક પત્રમાં આત્મહત્યાના બચાવની દલીલ આપે છે અને બીજા પત્રમાં તેમને દાંભિક કહી તેડી પાડે છે અને કહે છે કે ઘણીખરી આત્મહત્યાએમાં અંતે સ્વાર્થ જ હોય છે. તેથી આત્મહત્યા કરવાની જેને જરૂર લાગે તેણે બીજાનું ભલું કરવામાં પ્રવૃત્ત થવું અને તેથી જરૂર તેના દિલને આરામ મળશે જ. વર કહે છે કે અત્યંત જરૂરના પ્રસંગે આત્મહત્યા કરવી વાજબી છે. નિરીશ્વરવાદી હલબેંક પણ તેની તરફેણમાં હતું. ધર્મ ભાવનામાં સંડે પિસવાથી આત્મહત્યામાં ગંભીર પ્રકારનું પાપ છે એવું ભાન લેકેને રહ્યું નહિ તેથી, અને જમાનાની દયા અને કાયદાની હદની વધારે સ્પષ્ટ સમજણને લીધે, તે બાબતમાં ક્રૂર કાયદા વિરૂદ્ધ લોક લાગણી ઉભી થઈ. બેકેરિઆ કહેતા કે એવા સખત કાયદાથી મરનારના વારસને અન્યાય થાય છે, અને જેણે આપઘાત કરવાને નિશ્ચય જ કર્યો હશે તે એવા કાયદાથી પણ તેમ કરતાં અટકવાનું નથી. તાત્વિક ચળવળના અત્યંત સુધરેલા સમયમાં એટલે ઈ. સ. ૧૭૯ના અરસામાં પણ પિર