________________ પર યૂરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ આવશ્યક છે. મનુષ્યના ગૌરવનું ખરું માપ તેની નિતાથી થાય છે. સારા માણસની નજર હમેશાં બીજાના શ્રેય ઉપર જ હોય છે. જરૂર પડે તે બીજાને માટે પિતાની જીંદગી ગમે તેવી સુખી હેય તો પણ તેને ભોગ આપ; અને જરૂર પડે છે તે જીંદગી ગમે તેવી કષ્ટદાયક હોય પણ તે જારી રાખવી. તેથી કર્તવ્યની ખાતર જે પિતાની જીંદગીને ભાગ આપે તે ધર્મ-વીર, અને પિતાનું દુ:ખ મટાડવા જે પોતાના સંજોગની સામે થઈ મરે તે આત્મહત્યારે. ખ્રિસ્તિ ધર્મની અસરધારા આવા વિચારો હાલમાં યુરેપમાં પ્રચલિત છે. તેથી ગાંડપણ કે એવી જાતના રેગ અથવા પારાવાર દુઃખને લીધે જ હાલ આપઘાત થતા આપણે સાંભળીએ છીએ. તથાપિ ગણનાત્મક કઠા ( Statistics)થી જણાય છે કે આત્મહત્યાનો પ્રચાર ત્વરાથી વધત જાય છે અને જે પ્રજાનાં માનસિક વિકાસ અને સામાન્ય સંસ્કૃતિ ઘણી ઉચા પ્રકારની હોય છે તેનું તે એ ખાસ લક્ષણ હોય છે. આ વાતને ખુલાસે કરવા ઘણાં કારણે આપી શકાય તેમ છે. માનસિક પ્રવૃત્તિઓમાં દીવાનાપણું ઉપજાવવાની ખાસ યોગ્યતા રહેલી છે. વળી કઈ આપઘાત કરે છે તે વાત છાપાદ્વારા હાલ ઠેકાણે ઠેકાણે પ્રસિદ્ધ થઈ જતી હોવાથી નબળાં માણસે તેની નકલ કરવા આકર્ષાય છે. વળી કેવળ જંગલી દશાને વિચાર અલગ રાખીને વાત કરીએ તે અત્યંત સુધારાના સમયમાં એકદરે આબાદી વધે છે એ વાત ખરી, પણ સાથે સાથે અત્યંત કલેશ અને તીવ્ર સંતાપ પણ આવે એ પણ સંભવિત છે. લાખો જે કમાય કદિ લાખ ખુએ પણ ખરા. સુધારાને લીધે માત્ર વિલાસની વસ્તુઓ છંદગીની જરૂરીઆતે ગણવા લાગે છે, અને તેથી કરીને તેમની માલીકીને આનંદ મટી ગયા પછી લાંબા કાળ સુધી તેમના જવાથી તીવ્ર દુઃખ થાય છે. વળી સુધારાને લીધે ચારિત્ર્યમાં કોમળતા આવતાં દુઃખની લાગણું ખાસ કરીને તીવ્રતર થાય છે. વળી ધાર્મિક સંશયતાને લીધે આત્મહત્યા પ્રત્યે ઉપજતી કમકમાટી ઓછી થાય છે, અને વખતે ઠામુકી પણ જતી રહે છે. વળી પિતાના મતમાં આગ્રહ રાખવાની ટેવ, રાજકીય સ્વતંત્રતા, માન