________________ કેન્સ્ટનટાઈથી શાર્લમેન સુધી.. 249 - - -~-~ ~-~ હત્યા જવલ્લે જ કરતી હશે. પરંતુ નારી-પૂજાની શૌર્યવાન સમયની કથા ઓમાં એવી આત્મહત્યાને અણગમે જોવામાં આવતું નથી. એબિલા અને સંત થોમસ એકવીના એને ગુને ગણતા; અને આત્મહત્યા કરનારા નરકનું તીવ્ર દુઃખ ભોગવે છે એવું વર્ણન કવિ ડાન્ટ કરે છે. મધ્યમ કાળના સાધુઓ ગમગીનીને લીધે આત્મહત્યા કરતા. વળી કઈધર્મના ઝનુનથી ગાંડા બની અને કોઈ પ્રેમમાં નાસીપાસ થવાથી આત્મઘાત કરતા. પરંતુ તેવા દાખલા થડા બનતા, અને એવા માણસને મઠમાં આશ્રય મળતો હોવાથી મઠની સંસ્થા ઘણાને આત્મઘાત કરતાં બચાવતી હોય એ સંભવિત છે. કાઈ પણ કાળ કરતાં કેથલિક ધર્મના સર્વોપરિ કાળમાં આત્મહત્યા ઓછી થતી હતી એ નિર્વિવાદ છે. કુરાનમાં આત્મહત્યાની મનાઈ હોવાથી મુસલમાની ધર્મને પણ એ બાબતમાં કે હ. ઈશ્વરની ઈરછાને તાબે રહેવાને ખ્રિસ્તિ સિદ્ધાંત મુસલમાની ધર્મમાં પ્રારબ્ધવાદનું રૂપ પામ્યો, અને આ બન્ને ધર્મોની અસરથી સુધરેલા મનુષ્યોમાં આત્મહત્યા લગભગ બંધ થઈ ગઈ. આટલું ખ્રિસ્તિ ધર્મનું જ પરિણામ છે. ત્યારે હવે આત્મહત્યાને પૂરેપૂરે ઈતિહાસ પણ ટૂંકામાં જોઈ લઈએ. ધર્મ-સુધારણાથી પણ આત્મહત્યાના દાખલા વધ્યા હોય એમ જણાતું નથી. કારણ કે કેથોલિક મતની પેઠે પ્રોટેસ્ટંટ મત પણ એ બાબતમાં સપ્ત હતો. પરંતુ અમેરિકાના મૂળ વતનીઓ દાસત્વ અને ક્રૂર જુલમથી ગભરાઈ આપઘાત કરતા, પણ પેનવાસીઓ તેમને કહેવા લાગ્યા કે તમારી વાંસે અમે પણ આપઘાત કરી પરલેકમાં પણ તમને કનડશું, ત્યારે તે બંધ પડી ગયા. યુરોપમાં ડાકણે ઉપર ઘણે જુલમ થતું અને તેના ત્રાસથી ઘણી ડોશીઓ આપઘાત કરતી. કેવળ ગાંડપણને લીધે પણ ઘણીવાર માણસે આપઘાત કરતા. નેપલ્સના પરગણામાં પંદરમા સૈકાની આ ખરથી તે સત્તરમા સૈકાની આખર સુધી એક વિચિત્ર પ્રકારને ઉન્માદ જોવામાં આવ્યો હતો. આ ઉન્માદ એક જાતના ઝેરી કળીઆ કરડવાથી થતો હતો. આ ઉન્માદમાં લેકેનાં ટોળાં દરિયા કિનારે ભેગાં થતાં અને દરિયાનાં આસમાની જ નજરે પડતાં એટલે જુસ્સાથી ઈશ્વરનું યશો