________________ કેસ્ટનટાઈનથી શાલમેન સુધી. 247 રાક તજીને તપ કરતા અને તેથી સ્પષ્ટ રીતે પિતાની જીદગીને ટૂંકી કરી નાખતા તેમની અત્યંત પ્રશંસા તેઓ કરતા હતા. ધીમે ધીમે થતી આ આત્મહત્યા પ્રત્યે લેકે કેવી દૃષ્ટિથી જોતા હતા તેનું એક વિલક્ષણ દૃષ્ટાંત સંત જેરેમે બ્લેસિલા નામની એક યુવાન સાબીના જીવન વૃત્તાંતમાં સાચવી રાખ્યું છે. ચોથા સૈકાના ધાર્મિક અભિપ્રાય પ્રમાણે આ બાઈએ પરણવાને ગુને કર્યો હતો, પણ પરણ્યા પછી સાત મહિનામાં એ બાઈને વૈધવ્ય પ્રાપ્ત થયું હતું, અને આમ આ બાઈનું સાધુપણું અને બ્રહ્મચર્ય બને જતાં રહ્યાં. પછી એ બાઈને માંદગીને પ્રસંગ પ્રાપ્ત થતાં તેમાંથી ધર્મની પ્રબળ વૃત્તિ તેને ખુરી આવી. તેથી વીસ વર્ષની ઉંમરે એ બાઈ મઠમાં ગઈ. ત્યાં એની ભકિત એવા તે ઉંચા પ્રકારની થતી ગઈ કે વખત જતાં પિતાના પતિના મૃત્યુ કરતાં પિતાના બ્રહ્મચર્યના ભંગને માટે તેને વધારે શોચ થવા લાગે અને તેથી તે સખત દેહદમન અને તપ કરવા લાગી. અપવાસથી જ તેનું મૃત્યુ નીપજ્યું હતું એવી ખાત્રીને લીધે અને તેની જનેતાનું છાતી ફાટ રૂદન જોઈ લેકે ગુસ્સે થઈ ગયા અને તેની દફન ક્રિયા વખતે લેકે ઉશ્કેરાઈ પિકારવા લાગ્યા કે સાધુઓની શાપિત જાતને દેશનિકાલ દેવે જોઈએ, તેમને પથરા મારી મારી નાખવા જોઈએ અથવા તે તેમને જળમાં ડૂબાડી દેવા જોઈએ. પરંતુ અપવાસ અથવા કષ્ટદાયક દેહદમનના રિવાજને ખ્રિસ્તિ સંસ્થાએ નિઘા હોય એમ કયાંઈ જણાતું નથી, અને સાધુઓની મોટી સંખ્યાએ આકરા તપથી અંતે દિહપતન કર્યું હોય એમ જણાઈ આવે છે. પરંતુ જાણી જોઈને કરેલા સ્પષ્ટ આપઘાત જે પ્રાચીન સમયની નીતિમાં અગ્રસ્થાન ભાગવતા હતા તેવા આપઘાત ખ્રિસ્તિઓમાં લગભગ બંધ થઈ ગયા હતા. પરંતુ તે વાડાની બહાર સરકમસેલિયન નામની શાખાના અનુયાયીઓ જે ચોથા સૈકાથાં પારકાનું દુ:ખ ભાંગવા ગામે ગામ ભટકતા અને નીતિમાં ખરા ખેટાના પરીક્ષકે પોતેજ છે એમ કહેતા તેઓ વિધર્મઓનું અપમાન કરી ધર્મ–વીર થવા માટે જાણી જોઈને મુત્યુ શોધ, અને સેંકડો જણા ભેગા થઇ ઉંચી ટેકરી ઉપરથી ઉત્સાહ