________________ . કેસ્ટનટાઈથી શાર્લમેન સુધી. 245 સુખની આશા બંધાતાં જીદગીમાં દારૂણ દુઃખના સમયે પણ એક જાતને આનંદજનક દિલાસે મળે છે, અને આસ્થાની વૃત્તિથી અને પ્રાર્થનાથી હૃદય ખાલી થતાં જિંદગીના અંધકારમાં કોઈ ગહન અને અવર્ય પ્રકાશ પડે છે. વળી દુઃખમાં પણ આશાજનક અને આરામ સૂચક ચિહને હોય છે અને તેથી ઈશ્વરનું ડહાપણ જણાય છે. આવી આવી દલીલથી કેવળ નિરાશાના સમયે પણ શાંતિ મળી શકતી. આ પ્રમાણે દુઃખમાં પણ શ્રેય છે એ ખ્રિસ્તિ સિદ્ધાંતથી આ બાબતમાં જે અસર થઈ તે અસર દુઃખમાં અનિષ્ટ નથી એ વિધર્મીઓના સિદ્ધાંતથી કદિ પણ નહતી થઈ. પણ બે પ્રકારની આત્મહત્યા પ્રત્યે ખ્રિસ્તિઓ કઈક ક્ષમા-દષ્ટિ રાખતા અને તેમના ઉપર ઢાંક પીછો કરતા. ધર્મવીરો શોધી શોધીને મૃત્યુ હેરતા તે અને ખ્રિસ્તિ સ્ત્રીઓ ધાર્મિક જુલમ સમયે પોતાનું પાતિવય સાચવવા આપઘાત કરતી તે ધાર્મિક સતાવણીથી પ્રગટી નીકળેલા જુસ્સાને સમયે, અને આખી જીંદગીનાં પાપ એક ક્ષણમાં ધર્મ વીરતાથી ભુસાઈ જાય છે અને તે દુ:ખ સહન કરનારને એકદમ સ્વર્ગીય સુખ અને મજાઓને ભેટ થઈ જાય કે એની માન્યતાની અસરને લીધે, ઉત્સાહના ઉભરામાં માણસે વિધર્મને ન્યાયાધીશોની પાસે દેડી જઈ ધર્મવીરતાની માગણી કરે અને તેમને મૃત્યુની સજા કરવા ઉ-- કેરે એ વાત અસાધારણ નથી. અને જે કે ખ્રિસ્તિ વૃદ્ધોના લેખોને અને સંસ્થાની ધર્મસભાઓને અવાજ એવા શેધી શોધીને વહોરેલા મૃત્યુને એકંદરે ગુનારૂપ ગણતો. તથાપિ સંસ્થાના ધર્મલેખકે એવાં મનુષ્યની બહુ પ્રશંસા કરતા. પરંતુ જ્યારે ધાર્મિક સતાવણી કરનારાઓ પિતાને કલંક લાગે એવી શિક્ષા કરશે એવો ભય રહે ત્યારે પિતાની આબરૂ જાળવવા, અગર વિષયાંધ શહેનશાહો કે જંગલી હુમલો કરનારાઓના જૂલમથી બચી જવા, જે ખ્રિસ્તિ સ્ત્રીઓ આત્મહત્યા કરતી તેમના સંબંધમાં વધારે ગંભીર મુશ્કેલી ઉભી થઈ હતી. સંત પેલેજીયા કે જે માત્ર પંદર જ વર્ષની છોકરી હતી, જેને સંસ્થાએ સંતની પદવી આપી છે અને જેનાં