________________ | કોન્સ્ટટાઈનથી શાર્લમેન સુધી. 243 ભ્રાતૃભાવના સિદ્ધાંતને લક્ષી કાયદા બાંધવા, ઈત્યાદિ અનેક અગત્યનાં બંધારણ રોમના પાદશાહના સમયમાં જ અસ્તિત્વમાં આવ્યાં હતાં; અને તેમાં ખ્રિસ્તિ ધર્મના ઉપદેશથી થોડો જ વધારે થયો છે. કેસ્ટનટાઈને બે ત્રણ બાબતેમાં સજાની કરતા ઘટાડવાના કાયદા કર્યા હતા એ વાત ખરી, પણ બાળહત્યા, વ્યભિચાર, બળાત્કાર સંગ ઇત્યાદિ બીજ ગુનાઓ માટે બ્રેિરિત પાદશાહ અત્યંત સખત સજા કરતા, અને તેવી સજાથી થતા મોતની સંખ્યા વધી પડી હતી. ખ્રિસ્તિ પાદરીઓને આસમાનમાં ચડાવી તેમને સ્વતંત્ર અને પવિત્ર વર્ગ સ્થાપવામાં અને અન્ય ધર્મીઓ ઉપર ગમે તે રીતે અને ગમે તે જુલમ કરવાના કાયદાને ઢગલો કરવામાં જ ખ્રિસ્તિ, પાદશાહને સમય વ્યતીત થયું છે એ શોચની વાત છે. મનુષ્યની જીંદગી પવિત્ર છે એ બ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતથી છેલ્લે પરિણામ એ આવ્યું કે આત્મ હત્યામાં કેવળ પાપ ગણાવા લાગ્યું. આત્મહત્યાની વિરુદ્ધ વિધમાં નીતિવેત્તાઓની દલીલ ચાર પ્રકારની હતી. પિથા ગરાસ અને પ્લેટોની ધાર્મિક દલીલ એવી હતી કે કર્તવ્યની અમુક જગાએ નિયત થએલા આપણે બધા ઈશ્વરના સિપાઈઓ છીએ, અને તે જગા છોડી દેવી એ આપણું સરજનહાર ઈશ્વરની સામે બળવો કર્યા જેવું છે. એરિસ્ટોટલ અને ગ્રીક ધારા-શાસ્ત્રીઓની સામાજીક દલીલ એવી હતી કે રાજ્યની તહેનાતમાં રહેવું એ આપણી ફરજ છે અને તેથી જાણું જોઈને ઈદગી તજી દેવી એ રાજ્ય પ્રત્યે આપણું ફરજનો પરિત્યાગ કરવા જેવું છે. મનુષ્યનું ગૌરવ નજરમાં રાખી લૂટાર્ક ઇત્યાદિ એવી દલીલ કરતા કે હિંમતથી માથે પડતું દુઃખ સહન કરવામાં ખરેખરૂં હૈયે સમાએલું છે; અને તેથી આત્મહત્યા કરવામાં બાયલાપણું છે. નવીન પ્લેટ-મતના અલખવાદ કિવા ગુહ્યાર્થિવાદની એવી દલીલ હતી કે ચિત્તની સઘળી જાતની વ્યગ્રતામાં આ ત્માની ભ્રષ્ટતા સમાએલી છે અને ચિત્તની વ્યગ્રતાને લીધે આત્મહત્યા થતી હોવાથી તેમાં ગુને બને છે. આ ચેથી દલીલને ખ્રિસ્તિઓના ઉપદેશમાં કાંઈ સ્થાન પ્રાપ્ત થતું નથી. અને બીજી દલીલની અસર પણ તેમાં નહિ