________________ કેસ્ટનટાઇનથી શાલમેન સુધી. 241 મૂકીને કે ચાંડાળ તરીકે વર્તનથી કે કોઈપણ પ્રકારે કઈ ખ્રિસ્તિથી કોઇની જંદગી લઈ જ શકાય નહિ. પ્રથમ બાબતનો વિચાર આપણે હવે પછી કરશું; અને બીજી બે બાબતોનો નિકાલ કરવા થોડા જ શબ્દો પૂરતા છે. મતની સજા વાજબી હેય તે પણ ચાંડાળના ધંધામાં કાંઈક ભ્રષ્ટતા છે, કાંઈક અનુચિતતા છે એવી માન્યતા અસલથી જ ચાલી આવેલી છે, અને તેથી તે ધંધો મૂળથી જ અપવિત્ર લેખવામાં આવે છે. ગ્રીસ અને રેમમાં ચાંડાળાને શેહેર બહાર રહેવું પડતું અને રહડસમાં તો તેમને શહેરમાં પિસવાની પણ રજા નહોતી. ખ્રિસ્તિ ધર્મમાં પણ શરૂઆતમાં આવા વિચાર ઘણું પ્રબળ હતા. અને જેના હાથ વાજબી વિગ્રહમાં પણ કોઈપણ રીતે લોહીથી ખરડાએલા હોય તેને પ્રાયશ્ચિત કર્યા વિના દેવળમાં આવવાની મનાઈ હતી. અને આવા મનાઈહુકમને અમલ પાદશાહ કે સેનાપતિઓના સંબંધમાં પણ થતા. સામાજીક અને રાજકીય જરૂરીઆતને ધ્યાનમાં રાખ્યા વિના આ પ્રમાણે પ્રથમ ત્રણ સૈકામાં ખ્રિસ્તિ ગુરૂઓ પિતાના અભિપ્રાય મનાવવાને યત્ન કરતા હતા, પણ જ્યારે ખ્રિસ્તિ ધર્મની સત્તા જામી ગઈ ત્યારે આવા વિચારો ફેરવવાની તેમને જરૂર પડી. અને તેથી ઐથા સૈકામાં તેમને સામાન્ય અભિપ્રાય એટલે જ રહ્યા કે કોઈ ધર્મગુરૂએ ખૂનના તોહામતમાં ભાગ લેવો નહિ. આવી ખાસ સ્થિતિ પાદરીઓને પ્રાપ્ત થતાં પછી ગુનેગારને સજામાંથી બચાવવા તેઓ વચ્ચે પડવા લાગ્યા. અથવા રાજદ્રોહ કે કોઈ બીજા કારણથી કોઈ શહેર કે તેની આસપાસ ખૂનરેજી થવાને ભય આવી પડતો ત્યારે સલાહના જાસુસ તરીકે તેઓ કામ કરવા લાગ્યા. પાદશાહની મૂર્તિઓ અને વિધર્મીઓનાં દેવ–મંદીરે પ્રથમ પવિત્ર ગણતાં હતાં તેને બદલે હવે ખ્રિસ્તિ દેવળો પવિત્ર ગણાવા લાગ્યાં. વળી લેન્ટ અને ઇસ્ટરના પવિત્ર તહેવારમાં કોઈ ગુનેગારની તપાસ થઈ શકતી નહિ અથવા તેને વ્યથા કે મોતની સજા થઈ શકતી નહિ. વળી તહોમતદારની નિર્દોષતા જાહેર કરવા ચમત્કારો પણ બનતા, પણ કાયદાપૂર્વક તેને મતની સજા થવી જોઈએ એવું સૂચવતા ચમત્કાર કદિ બનતા નહિ. આ બધાને લીધે કાયદા પ્રમાણે પણ સજાની બજાવણી બરાબર