________________ 244 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. વત્ છે. સ્વદેશાભિમાન કર્તવ્ય છે એ વિચારને શરૂઆતની ખ્રિસ્તિ સંસ્થા, બિલકુલ ઉતેજન આપતી નહિ. વળી ત્રીજા સૈકામાં એ સંસ્થાનું દષ્ટિબિંદુ સન્યાસ જીવન હતું. અને આ દષ્ટિબિંદુને ધકકે પહોંચાડયા વિના આત્મ-હત્યા વિરૂદ્ધ સામાજીક દલીલની તરફેણ કરવી અશક્ય હતી. પિતાના કુટુંબ પ્રત્યે પણ માણસની ફરજ હોય છે એ દલીલ આત્મહત્યા વિરૂદ્ધ સામાજીક દલીલ કરતાં વધારે બળવાન છે અને અવાચીન સમયમાં એજ દલીલ નિશ્ચયાત્મક ગણાય છે; પણ તે દલીલ ખ્રિસ્તિઓએ અને વિધર્મીઓએ ભાગ્યે જ કરી છે. પિતાની સત્તા સંપૂર્ણ અને નિરંકુશ છે એવા વિચારથી વિધર્મીઓ પરિચિત હતા અને બ્રિસ્તિઓ નીતિને પરલેક સાથે સંબદ્ધ કરવાના અત્યંત ઉત્સુક હતા; તેથી પિતાની પિતાના કુટુંબ પ્રત્યેની જવાબદારી તરફ તેમનું લક્ષ ખેંચાયું નહોતું. મનુષ્ય-ગૌરવની ત્રીજી દલીલ પણ ખ્રિતિધર્મને બહુ અનુકૂળ આવે એવી નહોતી; કારણ કે મનુષ્ય કેવળ અધમ છે અને તેથી દીનતામાં જ તેનું કર્તવ્ય રહેલું છે એવો એ સંસ્થાને અભિપ્રાય હતે. છતાં ધીરજથી દુ:ખ સહન કરી ખરી હિંમત બતાવવાનો આગ્રહ બ્રિહિત લેખકે વારંવાર કરતા. પરંતુ આપણે બધા ઇશ્વરના સેવકો છીએ, અને આ દુનિયામાં આપણે માટે પ્રભુએ નિયત કરેલી ફરજ એની જ ઈચ્છાથી આપણે બજાબે જવી એજ આપણું પરમ કર્તવ્ય છે એવી દલીલ ખ્રિસ્તિઓ આત્મહત્યા વિરૂદ્ધ વારંવાર આપતા અને આ સિદ્ધાંત ઘણે ખરે પ્રસંગે આત્મહત્યા અટકાવવા સમર્થ થ; કારણ કે ઈશ્વર રક્ષણ કરવા સમર્થ છે એ વાતનો ઇનકાર સૂચવે એ આત્મહત્યા જેવો બીજો એકે ગુને નથી. આ બાબત પરત્વે આવા સામાન્ય ઉપદેશની સાથે સમજુતી અને ધાસ્તીનાં બીજે તો પણ બિસ્તિ ગુરૂઓ ઉમેરતા. તેઓ કહેતા કે મનુષ્ય જંદગી અતિ પવિત્ર છે. અને તેથી કરીને આત્મહત્યા કરનારે ખરું જોતાં ખૂનને જ ગુને કરે છે અને તેથી પરકમાં ખૂનીના જેવી જ ભયંકર સજા તેને થવાની છે. ઉપરાંત ઈશ્વરની ઈચ્છાને તાબે થઈ આનંદથી રહેવાના સદાચારને નીતિના કામમાં તેઓ ઉચ સ્થાન આપતા. તેથી ભવિષ્યના