________________ વિધમી મહારાજ્ય. ધીમે ધીમે બધા પ્રાતિને આપવામાં આવ્યો હત; અને કુટુંબમાં પિતાની સત્તા છે કે નષ્ટ તે ન થઈ, પણ ઓછી ઘણી થઈ ગઈ. પ્રાચીન કાયદા પ્રમાણે પિતાની આજ્ઞાને કુટુંબના દરેક માણસે મુંગે મેં તાબે જ થવું પડતું. સ્ત્રીની પદવીમાં જે ફેરફાર થયે તે આપણે પછી શું. પરંતુ પિતાની સત્તા પુત્ર ઉપર સંપૂર્ણ હતી; તે ધારે તે પુત્રને મારી પણ નાખે અને તેમાં કેઈથી વચ્ચે પડાય કે બોલાય પણ નહિ. પુત્ર પચાસ વરસનો હોય, અમલદાર કે હાકેમ હોય, કે ગમે તે માટે હોય, પણ પિતાની પાસે તે બાળક જ ગણાતો અને પિતાને ગુલામ ગણાત. આવા કાયદાથી કુટું. બમાં કલહ વધે તે તે સ્વાભાવિક છે. અને વાસ્તવિક રીતે કાયદામાં કહી હતી તેવી પિતા પ્રત્યે પુત્રની ભક્તિ રામના ઈતિહાસમાં થેડી જ જોવામાં આવે છે. પરંતુ સુધારે વધતાં, કર્તવ્ય અને જવાબદારી અરસપરસ હોય છે એ વાતનો સ્વીકાર થવા લાગ્યો. તેથી રમના સાર્વભૌમ રાજ્યમાં પિતાની સત્તા ઘણી ઓછી થઈ ગઈ, અને પુત્રના જાનમાલનું રક્ષણ થવા લાગ્યું. ગુલામગીરીની બાબતમાં પણ સુધારાના કાયદા થયા હતા. રામના જીવનમાં આ તત્ત્વ ઘણું અગત્યનું થઈ પડ્યું હતું. એનાથી લેકમાં સમભાવની લાગણીઓ વિસ્તૃત થઈ હતી, પણ સ્વતંત્ર વર્ગ નીતિમાં ઘણે ભ્રષ્ટ થઈ ગયો હતો. ગુલામના ઇતિહાસ તરફ જતાં તેમની ત્રણ અવસ્થા આપણને સમજાય છે. પ્રજાસત્તાક રાજ્યના પ્રાથમિક અને સાદી સમયમાં કુટુંબનો વડે ગુલામો ઉપર સ્વતંત્ર અને નિરંકુશ સત્તા ભોગવતે હતા. પણ તે વખતે ગુલામની સંખ્યા બહુ થડી હતી. દરેક કુટુંબમાં માત્ર એકાદ બે જ ગુલામ હતા અને તે ખેતીમાં મદદ કરતા. શેઠ અને ગુલામ ખેતરમાં સાથે કામ કરતા અને સાથે ખાતા. ગૂજરાત કાઠિયાવાડમાં કણબીઓના સાથીઓ જેવી તેમની હાલત લગભગ હતી. આ અવસ્થામાં ગુલામને ત્રાસ થતો નહિ. કેટલાક ધાર્મિક તહેવારોની તેમને છૂટી મળતી અને તે વખતે શેઠ અને ગુલામ એક જ જાતને ખોરાક ભેગા બેસીને જમતા. છતાં કઈ વખત તેમના પર જુલમ પણ થતો હશે; કારણ કે દ્રવ્ય