________________ રેમ ખ્રિસ્તિ થયું. 211 છે એમ માનતો, તેથી તેના ઉપદેશકે ધર્મની બાબતમાં પિતાથી ભિન્ન પડતા અભિપ્રાયને ઘાતકી ગુન ગણતા અને તેમ બેલતા. હવે વિચાર અર્ને વાણુની સ્વતંત્રતા રેમન લેકેને ઘણી પ્રિય હતી. પરંતુ આ સ્વતંત્રતાને અંત અંતે ખ્રિસ્તિ ધર્મ આપ્યો અને તે પુનઃ પ્રાપ્ત કરતાં સૈકાના સૈકા વહી ગયા. ખ્રિસ્તિઓમાં સારા ગુણો પણ ઘણુ હતા. સીતમને સમયે ખ્રિસ્તિ ધર્મવીરની અનુપમ હિંમત, અને તેમના શુદ્ધ, કમળ અને પવિત્ર સદાચારોની પ્રશંસા આપણે જેટલી કરીએ તેટલી ઓછી છે; છતાં ઉપરના કારણેને લીધે તેમને સતાવવામાં આવ્યા હોય તે તેમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. તેમના સીતમગારેની વર્તણુક કેવળ ગેરવાજબી હતી એમ આપણાથી કહી શકાતું નથી. વળી તરવારના પ્રાણઘાતક બેલેને લીધે વિધર્મીઓમાં માણસ જાતના શારીરિક દુઃખની બેદરકારી અને લેહીની તૃષા આવી હતી એ વાતથી વળી એ સીતમ વધારે સહેલાઈથી સમજી શકાય છે. ખ્રિસ્તિઓ તો એમ માનતા હતા કે માણસની સદ્દગતિ તે અમારા મતથી જ છે, તેથી તેઓ ધર્મને નામે સીતમ કરે તે તે જાણે ઠીક; પણ રેમના વિધમીઓને એ સિદ્ધાંત માન્ય નહોત; છતાં તેમણે સીતમ કેમ કર્યો ? એ પ્રશ્નની જરાએ મુંઝવણ હવે ઉપલા વિચા ને લીધે રહી નહિ. વળી એથી એમ પણ સિદ્ધ થાય છે કે રેમના, શહેનશાહને સીતમ ગમે તે સખત અને કરે તે છતાં તે એ જાથક અને ચાલુ નથી રહ્યો કે જેથી કરીને સમયના સંજોગમાં રહેલી વિશાળ નૈતિક, સામાજીક અને માનસિક શકિતઓ દબાઈ જાય, અને આ શક્તિઓ જ ખ્રિસ્તિ ધર્મને પ્રસરાવવામાં સહાયક થઈ છે. માટે આવા કઠીન સમયમાં પણ ખ્રિસ્તિ ધર્મ તરી આવે તે ઈશ્વરને ચમત્કાર છે એ વાત ખેતી છે. આ સીતમની ડીક તવારીખ તપાસતાં આ વાત સ્પષ્ટ થશે. એવું જણાય છે કે રેમમાં ખ્રિસ્તિ ધર્મ પ્રથમ દાખલ થયો ત્યારે તેની સામે વિરૂદ્ધતા બિલકુલ બતાવવામાં આવી નહોતી.