________________ 30 યુપીય પ્રજાના આચરણને ઈતિહાસ. સ્પષ્ટ છે; અને તેમાંથી સઘળાં મનુષ્યની જીદગી પવિત્ર છે એ ખાસ બ્રિસ્તિ વિચાર પ્રકટ થશે. કેપના કારણવિના પિતાના જાતભાઈઓને કાપી નાખવા એ ખોટું છે એમ મનુષ્યને કુદરતી સ્વભાવ માણસને કહે નથી એ વાત સમજવાનો પ્રયાસ આપણે આગળ કર્યો છે અને નૈતિક પ્રત્યક્ષ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે એ સિદ્ધાંતની વિરૂદ્ધ દલીલ કરનારાને પ્રત્યુત્તર આપવા આ વાત લક્ષમાં રાખવાની છે. જંગલીઓની પ્રાથમિક દશા કે જ્યારે મનુષ્ય-સ્વભાવની ઉચ્ચ શક્તિઓ ખીલેલી હોતી નથી અને લગભગ ગર્ભદશામાં જ હોય છે એ દશાની વાત એક કેરે રાખતાં, સુધરેલી અને નીતિમાન પ્રજાઓએ પણ અમુક અમુક બાબતમાં કે અમુક અમુક વખતે મનુષ્યની કતલને જાનવરના શિકારતુલ્ય ગણેલી છે એ વાત ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. અસલના ગ્રીક લેકે વિદેશીઓને જંગલી ગણી તેમના પ્રત્યે નિર્દય વર્તક રાખતા; રેમન લેકે તરવારના પ્રાણઘાતક બેલેમાં, અને તેમના ઈતિહાસના અમુક કાળે ગુલામે પ્રત્યે, બહુ ક્રૂરતા વાપરતા, સ્પેનના લેકે અમેરિકાના વતનીઓ પ્રત્યે નિષ્ફર હદયના હતા: સંસ્થા સ્થાપવા જતી ઘણું કરીને સઘળી યુરોપીય પ્રજ, જે તેના ઉપર યુરોપની દેખરેખ ન રહે તે, ત્યાં નિર્દય વર્તણુક રાખતી આવી છે. પ્રાચીન પ્રજાઓ મોટેભાગે તરતનાં જન્મેલાં બાળકને રખડતાં મૂકી દેતી હતી. આ સઘળી બાબતમાં હૃદયની કેવળ કઠિનતા આપણને જણાઈ આવે છે, અને આપણા પિતાના સમયમાં પણ છેલ્લાં ત્રણ સૈકાની અંદર ગ્રેટ બ્રિટનમાં પણ તે કઠિનતાનાં ચિહ્ન કદાચ મળી આવે તેમ છે. કેની કતલ ઈગલાંડના ઈતિહાસમાં પ્રસિદ્ધ છે. અને મનુની સઘળી જાતની સ્વછંદી કતલની ક્રૂરતા આપણી નૈતિક વૃત્તિઓને એક આવશ્યક ભાગ થએલી છે એ વાત હૃદયમાં ઉતારવી આપણને અત્યારે ગમેતેવી મુશ્કેલ લાગતી હોય, તથાપિ સારા સારા માણસે તે નિરંતર આચરતાં આવ્યાં છે એ વાત નિર્વિવાદ છે, અને તે પણ એવાં સારા માણસે કે જે બીજી બધી બાબતમાં કોઈપણ જમાનામાં અવશ્ય દયાળુ ગણાય એવાં હતાં. જે રમતોને અત્યારે આપણે જંગલી ગણીએ છીએ તે રમતોથી ટયુડર રાજા