________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 237 કાયદાપૂર્વક લીધેલાં નાણું પાછાં આપીને અને વખતે પાછાં આપ્યા વિના પણ તેમને પાછાં મેળવી શકતાં. પરંતુ છોકરાને વેચવાને પ્રચાર પણ લાંબા વખત સુધી ચાલેલે જણાય છે. વિધર્મીઓના કાયદા પ્રમાણે બાળહત્યાને ઘણું કરીને મનુષ્યવધ ગણવામાં આવતો; પરંતુ બીજી જાતના મનુષ્યવધ જેટલે દૂર તે લેખાતો નહિ, અને તેથી તેને માટે મોતની સજા થતી નહિ પણ દેશનિકાલની થતી. પરંતુ ધીમે ધીમે એ ગંભીર પ્રકારને ગુને ગણાવા લાગે અને શાર્લમેનના સમયમાં એ ગુને ખૂન ગણાવા લાગે; અને બાળક ખડતું મુકનારને પણ સજા થવા લાગી. - આ બધા કાયદા ખ્રિસ્તિ ધર્મની સત્તાકાળમાં થયા હતા. પરંતુ તેથી બાળહત્યા કેટલે દરજજે ઓછી થઈ તેને ચેસ નિર્ણય થે શક્ય નથી. પણ આવા કાયદાથી બાળકને રખડતું મૂકવાને ઉધાડે ધંધે અશકય થઈ પડે, અને તે ગંભીર પ્રકારને ગુને છે એવું ઉત્કટ ભાન લેકેને થવા લાગ્યું એટલી ખ્રિસ્તિ ધર્મની અસર થઈ એમ કહેવામાં કાંઈ અડચણ નથી. અત્યંત ગરીબીને લીધે માબાપ છોકરાંને રખડતાં મૂકી દેતાં, તે બાળકને ખ્રિસ્તિઓ મદદ કરતા, અને એવાં ઘણું છોકરાઓને ખ્રિસ્તિ ગૃહસ્થ ઉછેરતા. પણ મધ્યકાળની શરૂઆતમાં બાળ-સંરક્ષક સંસ્થાઓ ઉભી થવા લાગી. પરંતુ તેમાં ઉછેરેલાં બાળકે ખ્રિસ્તિ સંસ્થાના ગુલામ ગણાતાં. ગુલામગીરી નષ્ટ થઈ ત્યારે આવાં બાળકે મદની સંસ્થામાં ભળી ગયાં. ખ્રિસ્તિ ધર્મ દયા અને સખાવતને માટે મશહુર છે; છતાં બાળ-સંરક્ષક સંસ્થાઓ સ્થાપવામાં એ ધર્મ ઢલે રહ્યો હતો, તેનું કારણ ઘણું કરીને એ છે કે વ્યભિચારના ગુનાને તેઓ ઘણે જ ગંભીર લેખતા. ઘણી ઉદાર સંસ્થાઓની માતૃભૂમિ રોમમાં પણ તેરમા સૈકાની શરૂઆત સુધી એવી કોઈ સંસ્થા નહોતી. બારમા સૈકાના મધ્યભાગમાં મિલાનમાં એવાં મંડળો સ્થપાયાં હતાં. એ જ સૈકાના અંતમાં એક ખ્રિસ્તિ સાધુએ બાળકોના સંરક્ષણ અને તેમની કેળવણી માટે એવું એક મંડળ પારીસમાં સ્થાપ્યું હતું. અને તેમા અને દમા સૈકામાં યુરેપના મોટા ભાગમાં આ મંડળની શાખાઓ થઈ