________________ 238 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હતી. આ સંસ્થા પણ તજી દીધેલાં બાળકોને લેવાની ના પાડતી. અંતે જ્યારે બાળહત્યાઓ ઘણી થવાથી તેને માટે પિકાર થવા લાગે ત્યારે સંત વિ-- ન્સડી પિલે લેકને એવા જાગ્રત કર્યા કે તેની અસર ખાનગી ધર્માદામાં અને કાયદાના બંધારણમાં પણ થઈ અને તેથી બાળસંરક્ષક સંસ્થાઓ ઉભી થવા લાગી. આથી કરીને વ્યભિચારને ઉત્તેજન મળે છે કે કેમ ? દયા કરવા જતાં પતિવત્યને હાનિ થાય છે તેનું કેમ? ઇત્યાદિ પ્રશ્નો અને તે સંબંધી થએલા વાદવિવાદમાં ઉતરવાનું અત્ર પ્રયોજન નથી. મુદ્દાની વાત અત્ર એટલી જ છે કે લકે એ તજી દીધેલાં બાળકની જીંદગી બચાવવી એટલું જ નહિ પણ તેમને કેળવી નીતિમાન બનાવવાં એ વાતને માટે ખ્રિસ્તિ ધમ ઇંતેજાર હતો, અને મનુષ્યની જીંદગી અને તેના સદાચારની આવી બારીક અને પ્રમાણિક ચીવટથી વિધર્મીઓ કેવળ અજ્ઞાત હતા. દરેક જીવ અમર છે એવા પ્રિતિ સિદ્ધાંતનું જ આ પરિણામ છે. અને બ્રિરિત ધર્મની જ્યાં જ્યાં બરાબર અસર થઇ છે ત્યાં ત્યાં તેનું આ મુખ્ય અનુપમ લક્ષણ દશ્ય થએલું છે. આ બાળજીવનના સંરક્ષણમાં બ્રિતિ ધર્મ ઘણું કર્યું છે એ ખરું, પણ ઘણી વખત તેની અતિશયોક્તિ કરવામાં આવે છે. પરંતુ તરવારના પ્રાણઘાતક મેલે નાબુદ થયા તે તો ખ્રિસ્તિ ધર્મના પ્રતાપે જ; અને મનુષ્ય જાતના નૈતિક ઈતિહાસમાં આ સુધારે છે તેવો નથી. ખ્રિસ્તિઓ કહેતા કે આ ખેલમાં પાપ છે અને તેમાં ખૂન જ થાય છે, અને તેને માટે ખેલાડીઓ અને પ્રેક્ષક બનેને ઈશ્વર આગળ જવાબ દેવો પડશે જ. રેમના લોકમાં આ બેલેનું આકર્ષણ બહુ હતું અને કેળવાએલે અને બુદ્ધિમાન વર્ગ પણ એ ખેલેને ચેડા જ નિંદ્ય ગણતા એ આપણે આગળ કહ્યું છે. ખુદ કેન્ટનટાઈન પણ અસંખ્ય વિદેશી કેદીઓને જંગલી પ્રાણીઓ સાથે વઢાડતે હતો. ઈ. સ. ૩૨૫માં પ્રથમ ખ્રિસ્તિ પાદશાહે કાયદે કર્યો કે એ બેલેને ગુનારૂપ ગણવા; પણ એ કાયદે ઝાઝો અમલમાં આવ્યો હોય એમ જણાતું નથી. પશ્ચિમ-રાજ્યમાં તો તે ચાલુ જ હતા. ઈ. સ. 357 માં કેન્સ્ટનટાદને કાયદો કર્યો હતો કે રાજમહેલના નેકરને લાંચ આપી કાઇએ એવા ખેલમાં ઉતારવા નહિ. ઈ. સ. 365 માં વેલેનટિનિયને કાયદે