________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 235 ભિચારથી આવા ગુના વિશેષ બને છે. વળી ઘણા દેશોમાં અને જમાનામાં એવો વિચાર પ્રચલિત હોય છે કે જે વસ્તુ પિતાને અત્યંત પ્રિય હોય તેનું બળીદાન દેને બહુ રૂચિકર થાય છે, અને સંતાને માબાપને અત્યંત પ્રિય ખજાનારૂપ હોવાથી તેમનું બળીદાન દેને બહુ ગમે છે. વળી જેને અત્યારે આપણે જનહિતવાદને સિદ્ધાંત કહીએ છીએ તેને અનુસાર ગ્રીક લેકે એ રિવાજને અનુમોદન આપતા હતા; અને અમુક પ્રસંગે તે તે બાબતમાં કાયદાની ફરજ પણ માણસને માથે નાખવામાં આવતી હતી, કારણકે તેમને સિદ્ધાંત એકંદરે એ હતો કે વસ્તીને વધારે અમુક હદ પર્યત જ થવો જોઈએ અને લાચાર અને નિરૂપયોગી જનોથી જેમ બને તેમ રાજ્ય મુક્ત રહેવું જોઈએ. માટે રોગી અને બદસકલ બાળકોની હત્યાથી સમાજને લાભ જ થાય છે એમ તેઓ માનતા હતા. એવાં બાળકે જે છે તે તેમનું જીવન તેમને પિતાને પણ બોજારૂપ લાગ્યા વિના રહે નહિં; તેથી તેમાં દયા પણ છે. ગ્રીક-જીવનના વિલાસી વલણને લીધે લાંબાકાળ પર્યત દિયનિગ્રહ સાચવી રાખવાનો વિચાર ગ્રીક લેકેને આવતો જ નહિં અને પિતા કરતાં બાળકે પ્રત્યે માતાની વૃત્તિઓ વધારે કોમળ હોય છે, પરંતુ ગ્રીક માતાની સામાજીક અને માનસિક દશા ઘણી અધમ હોવાને લીધે પ્રજાના વિચારમાં આગેવાન થવાને તેઓ અસમર્થ નીવડી હતી. પરંતુ ગ્રીસમાં પણ આ ગુનાની છૂટ સર્વત્ર નહોતી, અને થીમ્સમાં તે તે ગુનાને માટે દેહાંતદંડ થતો. રેમમાં પિતાનાં સંતાન ઉપર પિતાની સત્તા પ્રથમથી જ સંપૂર્ણ હતી, પરંતુ તે સત્તા ઉપર કાયદાના અંકુશ પણ પ્રથમથી જ હતા. રોમને પ્રજા-વૃદ્ધિની આવશ્યકતા હતી, અને તેથી રોમન સામ્રાજ્યના વિલાસી અને ભ્રષ્ટ કાળ સુધી રેપન લોકોમાં બાળહત્યાને રિવાજ કદિ પણ સાધારણ થો હોય એમ જણાતું નથી. અને જ્યારે બાળહત્યાના બનાવી બહુ બનવા લાગ્યા ત્યારે જે પિતાને ઘણાં છોકરાં હોય તેને ખાસ કે આપીને, ગરીબ માબાપોને કેટલાક કરના બોજામાંથી મુક્ત કરીને, અને રખડતાં મુકેલા છોકરાઓ માટે સંરક્ષણના કેટલાંક સાધન સ્થાપીને, આડ