________________ 3 યુરોપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ગોધાની પૂર લડાઈમાં આનંદ માનતી; અવૉચીન સુધારક શિકારની બધી રમતને નિંદે છે અથવા ખોરાકને માટે પણ પ્રાણીઓની હિંસાને વખોડે છે, અથવા તે મોટાં પ્રાણીઓને જ મારવાની હિમાયત કરે છે કે જેથી ઓછા જીવની હિંસા થાય; અથવા તે પ્રાણીઓની નિર્વિલબ કતલ કરવાનું કહે છે; આ બધાં માણસ પિતાના કાર્યોમાં અને કઈ બાબતોને દૂર કહેવી અને કઈ બાબતને સ્વચ્છેદી કહેવી એ બાબત પિતાના અભિપ્રાયોમાં એક બીજાથી બહુ જૂદા પડે છે, છતાં ક્રરતા કરતાં દયા સારી છે એ બાબતમાં સે સંમત હોય છે. અર્થાત જમાનાના ધોરણે તે તે સમયના સામાન્ય સંજોગથી નિર્ણિત થતાં હોવાથી તે ભિન્ન ભિન્ન હોય છે, પણ મૂળ સિદ્ધાંતમાં ભિન્નતા ક્યાંઈ હેતી નથી. તેથી કરીને જુદા જુદા જમા નામાં વિગતે પરત્વે પ્રજાઓનું કે મનુષ્યનું મતભિન્નત્વ ગમે તેટલું હોય પણ નિર્દયતા કરતાં દયા સારી છે કે કેમ ? એ બાબતો સંશય પણ કાઈને આવ્યો નથી. જમાનાના ધોરણ પ્રમાણે ચાલવાનું માણસનું કર્તવ્ય છે, અને તે ધોરણથી ઉતરતું જેનું વર્ણન હોય તેને તે સમયનાં માણસે નિદે છે. હવે ખ્રિસ્તિ ધર્મની ખાસ ખૂબી એ છે કે દયાના પ્રચલિત ધરણને અતિ ઉચ્ચ એણે બનાવ્યું અને ભાર દઈને જગતને સ્પષ્ટ કહી દીધું કે ગમત કે સગવડતાની ખાતર કોઈ પણ માણસની જીંદગી લેવામાં મેટું પાપ છે, અને તેથી આપણી પરોપકાર વૃત્તિઓને ખૂબ સચેત એણે કરી દીધી. - આ બાબતમાં ખ્રિસ્તિ ધર્મની અસર મનુષ્ય જીદગીની છેક પ્રાથમિક અવસ્થા અર્થાત ગર્ભાવસ્થાથી શરૂ થાય છે. પ્રાચીનકાળમાં ગર્ભપાતન. રિવાજ બહુ નિંદ્ય ગણાતું નહોતું, કારણ કે જનમ્યા પહેલાં બાળક જીવનું ગણાય છે એવી માન્યતા તે સમયે પ્રચલિત હતી. વળી મનુષ્ય જંદગીની પવિત્રતાનું પ્રબળ ભાને જ્યાં હોતું નથી, ત્યાં હજી નહિ જન્મેલા બાળકના ઘાતથી દયાની લાગણી બહુ ઉપજતી નથી; અને વખતે સામાજીક હિતના વિચારથી રાઈબાળકને જન્મવા નહિ દેવામાં દયાનું જ કામ થાય છે, એમ માણસ સમજવા લાગે છે તેમાં નવાઈ નથી. એરિસ્ટોટલ કહે કે જ્યારે વસ્તીની સંખ્યા અમુક હદ ઓળંગી જાય, ત્યારે રાજ્ય તરફથી ગર્ભપાત