________________ કેસ્ટન્ટાઈનથી શાર્લમેન સુધી. 2 31 એના સમયમાં સારામાં સારા અંગ્રેજોને ઘણો આનંદ મળતો હતો; અને પ્રાચીન કાળમાં ખરેખરી દયાવાળાં માણસો કે જે સંબંધીઓ પ્રત્યે કોમળ, મિત્રો જો પ્રેમી, પાડોશીઓ પ્રત્યે ઉદાર, અને જેમની નજરમાં પિતાના શેહેરીનું ખૂન આપણને લાગે છે તેવું જ ઘાતકી લાગતું તે જ માણસા તરવારના પ્રાણઘાતક ખેલે જેવા જતાં અને ત્યાં તાળીઓ પાડી શાબાસી આપતાં; અને તે જ માણસે નિઃશંક મને બાળકને રખડતા મુકવાની સલાહ આપતાં. પરંતુ તે ઉપરથી આપણું કુદરતી નૈતિક પ્રત્યક્ષની વાતવિકતા શકિત બની જાય છે એમ ધારવું કેવળ ભૂલભરેલું જ છે. આંતર નીતિવાદીઓનું કહેવું માત્ર એટલું જ છે કે દયા અને નિર્દયતાના ભેદનું ભાન આપણને સ્વભાવથી સિદ્ધ છે, અને દયા આપણું ઉચ્ચતર કિંવા વધારે સારા સ્વભાવને અંશ છે, અને તેથી તે ગુણ કેળવવાની આપણી ફરજ છે. જમાનાનું ધોરણ કે જે સમાજના સામાન્ય સંજોગથી નિર્ણિત થાય છે તે ધોરણ આ કર્તવ્યની વાસ્તવિક હદ તે સમયને માટે બાંધી આપે છે; કારણકે જે આ ધરણથી નીચે રહે તે એ ધરણને નીચે ઉતારવામાં સહાયભૂત થાય છે. હવે, જે કે જુદી જુદી પ્રજાઓમાં અને જૂદા જૂદા જમાનામાં દયાનાં ધોરણ બહુ જુદાં જુદાં માલમ પડેલાં છે, પણ દયા એ સારે ગુણ છે એ બાબતમાં સૌની સંપૂર્ણ એકમતિ છે, એ વાતથી વધારે ચેકસ વાત બીજી કોઈ નથી. પ્લેટોએ બાળહત્યાની ભલામણ કરી હતી કેટેએ ઘરડા ગુલામને વેચી દેવાની હિમાયત કરી હતી; પ્લિનીએ મેદાનની રમ તેનાં મ ફાટતે વખાણ કર્યા હતાં; જૂના જમાનાના સરદાર લશ્કરી કેદીઓને ગુલામ બનાવતા કે તરવારના પ્રાણઘાતક ખેલેમાં ઉતારતા; નવા જમાનાના સરદારે તેમના મોભાને હલકે પાડે એવી કોઈ પણ જાતની મહેનત તેમને સોંપવાની ના પાડે છે; જૂના જમાનાના ધારાશાસ્ત્રીઓ પિતાના કાયદામાં અનેક પ્રકારની ક્રૂર શિક્ષાઓ ફરમાવતા; નવા જમાનાના ધારાશાસ્ત્રીઓ મોટામાં મોટા ગુનેગારની સજા પણ ટૂંકી કરી નાખવાના પ્રયાસ કરે છે; જૂના જમાનાના શિક્ષકે ત્રાસથી અંકુશમાં રાખતા; નવા જમાનાને શિક્ષક સહૃદયતાથી વશ કરે છે; સ્પેનની બાલિકા