________________ કેન્સ્ટનટાઈનથી શાલમેન સુધી. 228 હતા અને તે દ્વારા સાહિત્યનું પુનરજીવન કે જ્યાંથી અર્વાચીન સુધારાનો કાળ શરૂ થાય છે તે યુરોપમાં પેઠું. બીજી સત્ય વાત એ છે કે છેલ્લા ત્રણ સૈકાઓથી વધારે કાળનું નિરીક્ષણ કરતાં સ્પષ્ટ થાય છે કે ધર્મની પ્રબળતા જેમ જેમ ઓછી થતી ગઈ તેમ તેમ આપણી ઉન્નતિ વઘતી ગઈ છે. વૈદક વિદ્યામાં, વિજ્ઞાન-શાસ્ત્રમાં, વેપારી લાભમાં, રાજનીતિમાં અને નીતિશાસ્ત્રમાં પણ ધર્મના દઢ ઈકરાર, સુધારકની આડે આવીને ઉભા રહેતા હતા, અને આ બધા ઈકરારને બહુ અગત્યના માનીને તેમને બચાવ કરવામાં આવતું હતું, પણ સુધારાના ઐહિક જોર આગળ એ બધાને અંતે નમી જવું પડયું છે. ઉપરની હકીકતથી સહજ પ્રશ્ન થાય છે કે જે ધર્મમાં નૈતિક ઉપદેશનું અનુપમ સૌંદર્ય હતું અને જે ધર્મ મનુષ્યના હૃદય ઉપર અસર કરવાને સમર્થ હતા, અને જે ધર્મ છેલ્લા થોડા સૈકાઓથી લોકોને અનેક બાબતમાં આશિરવાદરૂપ થઈ પડે છે, તે જ ધર્મ લાંબા કાળ સુધી અને જૂદી જૂદી અવસ્થામાં, યુરોપને પુનરૂદ્ધાર કરવામાં કેવળ અશક્ત કેમ નીવો હશે? કાર્ય કરવામાં ખ્રિસ્તિઓ નિરૂત્સાહી અને અકુશળ હતા એમ પણ નહોતું. પરંતુ તે સમયે સમાજમાં વિરોધી બળો વહેતાં હતાં તેને એ પરિણામ છે એ આ પ્રશ્નનું ટૂંકામાં ઉત્તર છે. કેથલિક ધર્મના વિશાળ અને અનેકદેશી તંત્રમાં કેટલાક ભાગ એવા હતા કે જે મનુષ્યજાતને સુધારવામાં અને ઉન્નત બનાવવામાં બહુ સારી રીતે કામ આવ્યા, અને બીજા કેટલાક ભાગ એવા હતા કે જેની અસર એથી કેવળ ઉલટીજ થઈ. આ વાત સ્પષ્ટ કરવાનું કામ આ પ્રકરણનું છે. ખ્રિસ્તિ ધર્મનું પ્રથમ પરિણામ એ આવ્યું કે તેથી મનુષ્યની અંદગી પવિત્ર ગણાવા લાગી. એ ધર્મને પ્રથમ ઉપદેશ એ હતો કે સઘળાં માણસે ભાઈઓ છે. અમર પ્રાણીઓ તરીકે, અત્યંત સુખ કે અત્યંત દુઃખને માટે અંતે સર્જિત હોવાથી, અને એકજ જાતની યુક્તિમાં સર્વ સહભાગી હોવાથી, પિતાના જાતભાઈઓને પવિત્ર પ્રાણીઓ ગણવાની ખ્રિસ્તિની પ્રથમ ફરજ