________________ 224 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. અને ઈશુખ્રિસ્ત પ્રભુને પુત્ર હોવાથી તેને માટે ઈશ્વર ગમે તે ચમત્કાર બતાવે છે તેમાં આશ્ચર્ય શું? તેથી કરીને તેમના ચિત્તમાં જે એક પ્રકારની ધાર્મિક ભાવના ઉપજતી તે આપણને કદાચ અત્યારે સમજાય પણ નહિ, પરંતુ ઈશુ ખ્રિસ્તના પ્રેમને લીધે આખા જગતનું રૂપાંતર થએલું જ તેમને લાગતું; અને આખા જગતમાં તેના જીવનના ભણકારા તેમને ભાસતા. તેથી કરીને કુદરતી બનાવો અને આફતને ઉકેલ તેઓ આ નવીન પ્રકાશથી કરતા અને તેથી તેમાં કાંઈ નવીન રહસ્ય જ તેઓ જેતા. સ્વર્ગના અનંત અથવા હજારો વર્ષો સુધી પહોંચે એવા સુખથી પણ અન્ય કાંઈક જૂદીજ જાતનું ગહન આશ્વાસન ખ્રિસ્તિ ધર્મથી ખ્રિસ્તિઓને મળતું. દુઃખી, કંટાળેલા અને તદન નિરાધાર થઈ પડેલાને પણ એ ધર્મ આકાશ તરફ જોઈ એમ કહેતાં શીખવો કે “હે પ્રભુ! મારી કાળજી તારે છે; આમ ઈશુના પ્રેમની ખાતર સર્વ કરવાને અત્યંત ઉત્સાહ તે સમયે બ્રિતિ એમાં હતા. આ પ્રમાણે જે ધમને મુખ્ય ઉદ્દેશ નૈતિક પ્રેત્સાહન આપવાને હતું, અને જે ધર્મ ભવિષ્યના બદલાના સિદ્ધાંતથી, પિતાની સુવ્યવસ્થિત સંસ્થાથી અને નિઃસ્વાર્થ નૈતિક ઉત્સાહ ઉપજાવવાની પિતાની શક્તિથી મનુષ્યના હૃદય ઉપર અનુપમ સત્તા સ્થાપવા સમર્થ થયો હતો તે ધર્મના મુખ્ય અનુયાથીઓ અતિ પવિત્ર સ્થિતિએ પહોંચે તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. અને યુરોપમાં એ ધર્મ સ્થાપિત થયા પછી લગભગ બસ વર્ષ પર્યંત ખ્રિસ્તિ વર્ગ જે નૈતિક વિશુદ્ધિ દર્શાવી છે તેથી વિશેષ વિશુદ્ધિ લાંબા કાળ પત કાઈ પ્રજાએ કદિ દર્શાવી નથી એ નિસંશય છે. પિતાની આસપાસ પ્રસરેલી જમાનાની બ્રતાથી તેઓ વિમુક્ત રહ્યા, કારણ કે રામના રાજકીય, સામાજીક અને લડાયક જીવનથી તેઓ અલગ રહેતા, અને તે રાજ્યને અંત ચેસ છે એમ તેઓ માનતા હોવાથી તે અંત ક્યારે આવે છે તેની નિરંતર રાહ તેઓ જેતા, આ ધર્મ રેમનો રાજ-ધર્મ . પરંતુ હજાર બાર વર્ષ પર્યત તેની સર્વોપરી સત્તાકાળમાં પણ સમાજની દશા અતિ અધમ હતી એ વાતની પણ ઇતિહાસ સાક્ષી પૂરે છે.