________________ ~~ ~ ~ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. હતા, પણ અધમ અને વિલાસી લેકેની નીતિ ઉપર તેઓ કાંઈ અસર કરી શક્યા નહિ. ઉલટું ધર્મના અતિ હેપી અને ઝનુની વાદવિવાદ તેમણે ઉભા કર્યા, અને આ ઝઘડાનાં કડવાં ફળ પાછળથી કાયમ ભોગવવાના રહ્યાં. કાળે કરીને રેમના રાજ્યના જે બે ભાગ પડી ગયા હતા તેમાંથી પૂર્વ તરફના વિભાગની આવી સ્થિતિ હતી. પશ્ચિમ તરફના વિભાગની સ્થિતિ તેથી કાંઈક જુદી હતી. કેસ્ટનટાઈન ખ્રિસ્તિ થયા પછી એક શતક નહિ વીત્યો એટલામાં તે ઍલેરિ રેમ સર કર્યું અને પછી જંગલીઓની ચડાઈઓથી રેમને સમાજ અંતે છિન્ન ભિન્ન થઈ ગયો. પરંતુ આ જંગલીઓએજ ખ્રિસ્તિ ધર્મને સ્વીકાર કર્યો, તેથી ખ્રિસ્તિ ગુરૂઓ કે જે પ્રાચીન ખજાનાના સંરક્ષક હતા તે તેમના પણ ગુરુ થયા; અને જનસુધારણાને જે ઉચ્ચ અભિલાષ તેમને હતો તે અમલમાં મૂકાવાનો આમ તેમને પ્રસંગ મળે. અને તેમને પ્રયાસ સાવ નિષ્ફળ પણ નથી ગયે. મનુષ્યોના વિચાર અને કૃતિઓ ઉપર સૈકાઓ સુધી આ ધર્મ લગભગ સંપૂર્ણ સત્તા ભેગવી છે અને એવી સંસ્કૃતિ એણે ઉપજાવી કે તેથી કરીને તેના દરેક ભાગમાં એ ધર્મની અસર સ્પષ્ટ જણાઈ આવે છે. કાર્યમાં પ્રદર્શિત થતી શુભ-વૃત્તિમાં, પૂજ્ય-બુદ્ધિના પવનમાં, ભક્તિમાં અને સાથે રહી એકબીજાને સહાય થવાની ટેવમાં, વિધર્મીઓના પ્રાચીનકાળના જમાના કરતાં તે સમય બહુ આગળ વધી ગયે હ; અને દયામાં રોમન લેકે કરતાં, અને પતિવ્રત્યમાં ગ્રીક લેકે કરતાં એ જમાને બેશક ચડીઆતે હતો. બીજી રીતે જોઈએ તે સ્વદેશાભિમાનમાં અને નાગરિક સદાચારોમાં, સ્વતંત્રતાના પ્રેમમાં, જે મહાન નરે તેમણે ઉપજાવ્યા તેની સંખ્યા અને ઓજસમાં, અને ચારિત્ર્યને જે નમુને એણે બાંધી આપે તેને ગરવ અને સંદર્યમાં, વિધર્મીઓના સર્વોત્તમ જમાના કરતાં તે જમાનો ઘણો જ ઉતરતે હતે. કલહ, ગેરવ્યવસ્થા, અન્યાય અને વિગ્રહ ખ્રિસ્તિઓમાં પણ પુષ્કળ હતાં, અને બુદ્ધિવિષયક સદાચારોમાં કોઈ પણ જમાના કરતાં તે સમય ઘણું કરીને ઉતરત જ ગણાશે. પિતાના મતના એટલા તે આગ્રહી તેઓ હતા કે પરમત તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ; અને