________________ કેટનટાઈનથી શાર્લમેન સુધી. 225 એ સમયની સ્થિતિ ટૂંકામાં આવી હતી; મારકસ ઓરેલિયસનું મૃત્યુ થયું એ અરસામાં રેમની સૃષ્ટિમાં બ્રિસ્તિધર્મ અગત્યની વગ ધરાવેતે થે હતો. રોમન રાજ્યની પડતી ત્વરિત અને લગભગ ચાલુ થવા લાગી હતી. પછી કેન્સ્ટનટાઈન પાદશાહ પ્રથમ ખ્રિસ્તિ થયો અને નવું શહેર વસાવી ત્યાં એણે પિતાની રાજધાની સ્થાપી; અને પૂર્વમાં પિતાના રાજ્યની જમાવટ કરી. આ રાજ્ય લગભગ અગીઆરસે વર્ષ ચાલ્યું, અને તે સમયે ખ્રિસ્તિ ધર્મનું નીતિશાસ્ત્ર માન્ય ગણાતું. આ બાઇકેંટાઈન રાજ્ય કેવળ અધમ અને નીચે પ્રકારનું હતું એ વાતમાં સર્વ ઇતિહાસકારો સંમત છે. એ રાજ્ય ઘણું વિલાસી, સ્વછંદી અને નિર્દય હતું; અને ઉચ્ચ ભાવનાને કાંઈપણ એશ તેનામાં નહોતે. લેકે છળકપટી અને દુરાચારી હતા, અને સદાચારી અને શૈર્યવાન રહ્યા નહોતા. તેમનામાં સ્વદેશાભિમાન અને સ્વતંત્રતાની ઈચ્છા નષ્ટ થઈ ગઈ હતી, બુદ્ધિ-વિશાળતા જતી રહી હતી અને કેવળ સ્વછંદી વિલાસના શોખીન તેઓ થઈ ગયા હતા. પ્રાચીન ગ્રીક સાહિત્યના ઉત્તમ ગ્રંથે તેમની સન્મુખ હતા, તેથી તેમનામાં જ્ઞાન તો હતું: પરંતુ તે જ્ઞાનથી તેમનામાં શૌર્ય કે સ્વદેશાભિમાનને એક તણખે પણ પ્રદીપ્ત થતો નહિ. એ રાજાને ઇતિહાસ જોઈએ છીએ તો ધર્મ-ગુરૂઓ, હીજડાઓ અને સ્ત્રીઓના કાવાદાવા, ઝેર, અપકાર અને બંધુ-વધના બનાવે નિરંતર બનતા આપણે વાંચીએ છીએ. નીરે જે નિર્લજજ અને અધમ પાદશાહ ત્યાં કેઈથયો નથી એ વાત ખરી, પણ મારકસ ઓરે. લિયસ જેવો પણ ત્યાં કઈ થયું નથી, એ વાત પણ સાચી છે. જુલિયન કાંઈક સારો હતો, પણ તેણે તે બ્રિતિ ધર્મને તિરસ્કારપૂર્વક ત્યાગ કર્યો હતો. પૂર્વના આ રાજ્યને અંત છેવટે મુસલમાનોએ આયે; અને મુસલમાનના અર્ધચંદ્રાકાર વાવટા તળે કોસ્ટાન્ટિનોપલ શહેર ચગદાઈ ગયું; અને તે પડયું ત્યાં સુધી પણ તેના નગરવાસીઓ ધાર્મિક મતભેદને વિવાદ કરવામાં ગુંચવાઈ રહ્યા હતા. એશિયાના અન્ય શહેરોમાં પણ એવી જ સ્થિતિ હતી. બ્રિસ્તિધર્મના કઈ કઈ નામાંકિત ધર્મગુરુઓ અને ઘણા ધર્મધ તપસ્વીઓ ત્યાં થયા