________________ wwwww રેમ ખ્રિસ્તિ થયું. 209 જાત મનાતી હતી, અને યહુદી લેકે બધા મૂર્તિપૂજકોને ધિકારતા અને વખતે વખત રાજ્ય સામે બળવો કરતા હતા. બીજી રીતે જોઈએ તે ચાહુદીઓ ખ્રિસ્તિઓને ધર્મભ્રષ્ટ અને દેશદ્રોહી ગણાતા હતા, કારણ કે જેરૂસેલમના ઘેરામાં બ્રિતિ યાહુદીઓએ તેમને બિલકુલ સહાય આપી નહતી; ઇત્યાદિ અનેક કારણોને લીધે યાહુદીઓ અને ખ્રિસ્તિઓ એક બીજાને અંતઃકરણથી ધિક્કારતા હતા અને એક બીજા ઉપર લાગ આવ્યું આળ ચડાવવા ચૂકતા નહિ. વળી તે સમયમાં એક પ્રકારને અદ્વૈત મત માનનારા પાખંડીએ આવા અધમ અનાચારમાં પ્રવૃત્ત થતા હતા એવું તે સમયના કેટલાક લેખ ઉપરથી જણાય છે. પરંતુ રોમન ન્યાયાધીશોની નજરમાં આ બધા મત અને પાખંડી જ હતા, અને તેથી ખ્રિસ્તિ વિરૂદ્ધ મૂકાત તેહમતો પણ તેઓ માનતા. તેમની સતાવણીનું બીજું કારણ એ છે કે ખ્રિસ્તિ ઉપદેશકે રેમની ઘણી સ્ત્રીઓને વટલાવી પોતાના ધર્મમાં લાવવા શકિતમાન થયા હતા; તેથી રેમના કૈટુંબિક જીવનમાં ગેરવિશ્વાસ આવવાથી તે જીવન તેમને અતિ અકારું થઈ પડયું. સ્ત્રીના મનને પિતાને પતિ પરમેશ્વરરૂપ હો જોઈએ. પણ ધર્મને નામે જ્યાં સ્ત્રી પિતાના પતિની અવગણના કરે ત્યાં કૌટુંબિક પ્રેમ અને સુખના તે સાંસાં જ સમજવાં. વળી ખ્રિસ્તિ લેકે તે સમયે ભૂત કાઢવામાં ઘણું કુશલ ગણાતા હતા. સુધરેલો વર્ગ આ વાતને વહેમ ગણી તેના ઉપર નાપસંદ નજરથી જેતે હતા, પણ સાધારણ વર્ગમાં એ શકિતને લીધે કપ્રિય બહુ થવાનું એ વાત આપણે આગળ કહી છે. પરંતુ આ કારણને લીધે ખ્રિસ્તિઓને ઘણું કરીને સતાવવામાં આવતા નહોતા. જાદુ અને ધન્તર મંતરને વેહેમ એ સમયે લેકેમાં બહુ પ્રચલિત હતું, પણ રાજ્ય એ બાબત ઉપર દૃષ્ટિ રાખતું નહિ. હવે પછી રાજ્યગાદી કોને મળશે ? ઇત્યાદિ રાજકીય બાબતો જાણવા પ્રયાસ જ્યારે જાદુથી થતું ત્યારે તેવા જાદુની પૂરેપૂરી ખબર રાય લેતું હતું, પરંતુ ખ્રિસ્તિઓએ એવો પ્રયાસ કદિ કર્યાને દાખલ મળતું નથી. પરંતુ કલ્પનાને ભડકાવી બુદ્ધિને પરતંત્ર કરવાને