________________ 220 યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ, પરંતુ આ પદ્ધતિમાં એક ગેરફાયદો પણ છે. પાપનું ભાન નિરંતર નજર સમુખ રાખતાં જન સ્વભાવમાં સદાચારનું તત્વ જ નથી એમ કહેવાનું અને મન થઈ જાય છે અને તેથી જન-સ્વભાવને મેટ અન્યાય અપાય છે. ડાઈ માણસ કેવળ દુરાચારી હોતા નથી. મોટામાં મેટા દુરાચારીમાં કોઈક માટે સગુણ પણ હોય છે. અને ખ્રિસ્તિ ધર્મનું વલણ પણ શરૂઆતમાં એવું જ હતું. ડેવિના કિર્તનમાં કહ્યું છે કે વ્યભિચારી અને ખુની માણસમાં પણ કાંઇક કુલીનતા, કોમળતા અને નૈતિક ઉત્સાહને અશ રહેલું હોય છે. પરંતુ આગળ જતાં ખ્રિસ્તિ ધર્મ ઉપરોક્ત દોષમાંથી મુક્ત રહ્યો નહિ, અને જનસ્વભાવને એ તે ભ્રષ્ટ એણે ચિતર્યો કે કેવળ ઈશ્વરના અનુગ્રહ વિના માણસની મુક્તિ નથી એ સિદ્ધાંત તેમાં મુખ્ય થઈ પડ્યો. હવે આ વાત ખોટી છે એ એટલાથી જ સિદ્ધ છે કે દુરાચાર નહિ, પણ સદાચાર જ મનુષ્ય-સ્વભાવને વ્યાવર્તક ધર્મ છે, કારણ કે સમજીને સદાચાર માત્ર મનુષ્ય જ આચરી શકે છે. કામાસક્તિ, કરતા, સ્વાર્થ કે રાગદ્વેષ તે જૂદા જૂદા પ્રાણીઓમાં પણ હોય છે. અર્થાત્ આહાર, ભય, ઈછા અને મૈથુન માણસની પેઠે ઇતર પ્રાણીઓમાં પણ હોય છે, પરંતુ પિતાના હૃદયની ભાવનાઓનું વર્ગીકરણ કરીને, પિતાની વાસનાઓના પ્રબળ પ્રવાહની સામા થઈને પણ, જે સારી હોય તેને અનુસરવાની શક્તિ માત્ર મનુષ્યમાં જ રહેલી છે. વળી સંસ્કારને લીધે જેનામાં નૈતિક વિકાસ થયો છે એવા માણસના વર્તનમાં નાસા કરતાં સારું વધારે હોય છે. કુરતા કરતાં પરોપકાર–વૃત્તિ માણસોમાં વિશેષ જોવામાં આવે છે: પારકાનું દુઃખ જોઈને રાજી થનારા બહુ જ થોડા હોય છે, પણ દયાળુ ઘણા હોય છે, અને પોતાને લાભ કરનારને ઉપકાર જ માણસે ઘણું કરીને માને છે, પણ ઉપકાર ઉપર અપકાર કરનારા તે કોઇક જ હોય છે. વળી આત્મ-ભાગ અને સુજનતા પ્રતિ માણસની અનુત્તિ સ્વાભાવિક રીતે જ વળે છે, અને દુરાચાર તે આપણા મનમાં જે વલણે જાતે નિર્દોષ જ છે તેમની અતિશયતા કે વિકૃતિરૂપ જ હોય છે. ટૂંકમાં, સદાચાર આપણી પ્રકૃતિ છે, દુરાચાર માત્ર વિકૃતિ છે,