________________ ર૧૮ યુરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. જન–સમૂહ ઉપર તેની ઝાઝી અસર થતી નથી. પરંતુ ખ્રિસ્તિઓનું નીતશાસ્ત્ર વિશાળ ધર્મ-સંસ્થાનાં ભક્તિ, આશા અને ધાસ્તીઓમાં ઓતપ્રેત હોવાથી, કેળવાએલા અને બીન કેળવાએલા બધા ઉપર તેની પ્રબળ અસર થઈ શકી છે. ભવિષ્ય કહેવું, વિશ્વની ઉત્પત્તિ સમજાવવી, આરતને દૂર કરવી, અને દેવેની સહાય મેળવવી એટલાજ ઉદેશ વિધમ ધર્મના મુખ્ય કરીને હતા. પરંતુ જાહેર ઉપદેશ અને પ્રાર્થના, પાદરીઓ પાસે પાપની કબુલત, બાઈબલનું વાંચન, ધાર્મિક કેળવણ, અમુક ધાર્મિક ક્રિયામાં ભાગ લેવા માટે આચરણની આવશ્યક પવિત્રતા–આમાંનું કઇ તે ધર્મોમાં નહોતું. અર્થાત નીતિને ઉપદેશ કરે એ સ્વતંત્ર વર્ગ વિધર્મીઓમાં નહોતો. વળી તવંદષ્ટિએ કર્તવ્યને જે ખુલાસે તેઓ આપતા તે દેવમંદિરમાં થતી ધાર્મિક ક્રિયાઓ જોડે કાઈ પણ રીતે સંબંધિત થતે નહિ. આ બન્ને પ્રદેશોને એકત્ર કરવાથી અર્થાત ધર્મમાં નૈતિક કેળવણીને ઓતપ્રત કરવાથી કેમાં એવી માન્યતા આવે છે કે ધાર્મિક ક્રિયાઓ બરાબર કરવાથી નૈતિક વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે અને તેથી ઈશ્વરના સાક્ષાત્ સંબંધમાં આવી શકાય છે, અને આવી ઈચ્છા લેકમાં પ્રબળ હોય છે એ પ્રસિદ્ધ વાત છે. આ રસ્તે ખ્રિસ્તિ ધર્મ લીધે છે. પિથાગેરિયને પણ કહેતા કે ધાર્મિક ક્રિયાઓ કરવાથી ચિત્તની વિશુદ્ધિ થાય છે, અને પૂર્વદેશી ધમાં ઘા કરીને પ્રાયશ્ચિતની વાત સામાન્ય હોય છે એ વાત ખરી, તથાપિ ધર્મના સ્વરૂપમાંજ નીતિને વણી દેવાનું મુખ્ય કાર્ય ખ્રિસ્તિ ધર્મ જ કર્યું છે. અને જે રીતે બને તે રીતે લેકેને નીતિને ઉપદેશ આપીને તેમને ઉચ્ચ માર્ગમાં વાળવા એ પરમ કર્તવ્ય ખ્રિસ્તિ ધર્મ પિતાનું ગમ્યું છે અને ખ્રિસ્તિ ધર્મના પ્રતાપેજ ઈશ્વરનું સ્વરૂપ, આત્માનું અમરત્વ, અને માણસનાં કર્તવ્ય કે જેવા કે પ્રાચીન બુદ્ધિમાન પુરૂષે ભાગ્યે જ સમજી શકતા તે હવે ઘરગતુ અને અતિ સામાન્ય થઈ પડી છે. પરંતુ તે ધર્મના ગ્રંથોમાં સમાએલા ઉપદેશનાં સૌંદર્ય અને ધાર્મિક ક્રિયાઓની સંપૂર્ણતા ઉપરાંત સદાચારનાં નવાં પ્રયોજન પણ એ ધર્મ સ્વીકાર્યા ન હેત તો આટલી સફળતે તેને પ્રાપ્ત થાત નહિ, આ નવા પ્રો.