________________ કેસ્ટનટાઈનથી શાર્લમેન સુધી. 217 રાખવા જેવી છે અને તે એ છે કે વિધર્મીઓને જુલમ સ્વરૂપે ઘણા જ ઘાતકી હતી અને તે ભૂલમમાં માણસને ઘણી જ ક્રૂર રીતે રીબાવવામાં આવ્યાં હતાં. કેટલાકને તપાવેલા લેઢાની ખુરશી ઉપર બેસારવામાં આવતો; કેટલાકનું માંસ ચીપીઆવતી તેડવામાં આવતું; કેટલીક કુમારિકાએને તરવારના પ્રાણઘાતક ખેલે કરનારાને સોંપી દેવામાં આવતી; કેટલાકની આંખો ખોતરી કાઢવામાં આવતી; કેટલાકના હાથ કે પગની નસો ખેંચી લેવામાં આવતી; ઈત્યાદિ. આ ત્રાસ અને જુલમ પિતાના ધર્મની ખાતર જેમણે સહન કર્યો છે તેમના પ્રત્યે તે આપણી પૂજ્ય-બુદ્ધિ રહેવી જોઇએ. પ્રકરણ 4 થું. કેસ્ટનટાઇનથી શાલમેન સુધી. - ખ્રિસ્તિધર્મની ફતેહ રેમમાં ક્યાં કારણોને લીધે થઈ? તથા કેવા પ્રકારના જુલમની સામે તેને ટકી રહેવાનું હતું ? તે આપણે જોયું. પરંતુ આ નવા ધર્મ જે નૈતિક દૃષ્ટિબિંદુ રેમમાં દાખલ કર્યું તેનું સ્વરૂપ કેવું હતું? તથા કેવી રીતે આ દૃષ્ટિબિંદુ મનુષ્યના વ્યાવહારિક જીવનમાં ઉતરી શક્યું? તે જોવાનું હવે આપણને રહે છે. કેટલાક કહે છે કે મારકસ ઓરેલિયસ કે સેનિકાના ગ્રંથમાં સમાએલાં ઉપદેશ વાકયોની સાથે ખ્રિસ્તિ ધર્મનાં નીતિ–વા સરખાવતાં ખ્રિસ્તિ ધર્મના ઉપદેશની શ્રેષ્ઠતા સ્પષ્ટ સાબીત થાય છે અને તેથી જ ખ્રિસ્તિ ધર્મને લીધે યુરેપમાં નૈતિક ઉન્નતિ થઈ છે. પરંતુ આ કથન યોગ્ય નથી એ સહેજ વિચારતાં સમજાય તેવું છે. વિધર્મીઓનું નીતિશાસ્ત્ર તત્ત્વજ્ઞાનને ભાગ હતું. ખ્રિસ્તિઓનું નીતિશાસ્ત્ર ધર્મને ભાગ હતું. અને તત્ત્વજ્ઞાની બધા થઈ શકતા ન હોવાથી,