________________ કેલ્ટટાઇનથી શાર્લમેન સુધી. 219 જને કાં તે સ્વાર્થી હોય અને કાં તે નિઃસ્વાથી હોય. આ બન્ને જાતનાં પ્રજનને ઉપયોગ એણે કર્યો છે. પ્રથમ તે પલક વિષે અને પાપના સ્વરૂપ વિષે એવા વિચાર એ ધર્મ ફેલાવ્યા કે તેથી લોકોના જીવનમાં જબરે ફેરફાર થઈ ગયે. વિધર્મીઓમાં પરલેક સબંધી ભાવના અસ્પષ્ટ અને અનિશ્ચિત હતી; તેથી આ દુનિયાના પાપમાં અટકાયત રૂપ એ સિદ્ધાંત તે નહિ. ખ્રિસ્તિ ધર્મમાં પરલેકનું તીવ્ર ચિત્ર છે. મુઆ પછી પાપીઓ. સતત દુઃખ ભોગવે છે, માણસ જન્મથી જ પાપી છે, અને જીંદગીનાં દરેક નાનાં મોટાં કાર્યોને બદલે પરલોકમાં જરૂર મળે છે, આવા આવા સિદ્ધાં. તિથી મરતી વખતે ખ્રિસ્તિઓ જે પશ્ચાતાપ કરતા હતા તે વિધર્મઓમાં કદિ થતા નહિ. નાનામાં નાને દોષ કે જેના પ્રત્યે આ દુનિયામાં કેવળ દુર્લક્ષ જ દાખવવામાં આવે અને જેનાથી કોઈને કશું નુકસાન થતું ન હોય તે પણ તેવા કાર્યને હિસાબ મુઆ પછી આપ પડે છે અને તેથી પરલેકમાં સતત દુઃખ સહન કરવું પડે છે એવા સિદ્ધાંતની અસર એ સમયે લેકે ઉપર ગંભીર પ્રકારની થઈ હતી. વિધર્મીઓની દષ્ટિ સદાચાર ઉપરજ હતી, ખ્રિસ્તિઓની દષ્ટિ પાપ ઉપર હતી. પવિત્રતાનાં સૈદચેનાં વખાણ કરીને માણસને સુધારવા પ્રયાસ વિધર્મીઓ કરતા ખ્રિસ્તિઓ પશ્ચાતાપની લાગણીને જાગ્રત કરી સુધારવાનો પ્રયાસ કરતા. દરેક પદ્ધતિમાં ગુણ દેષ રહેલા છે. તત્વજ્ઞાનમાં માણસને ઐઢ બનાવી ઉન્નત કરવાની યોગ્યતા હતી, પણ માણસને પુન:ઉદ્ધાર એ કરી શકતું નહિ. સદાચારને તેથી પ્રોત્સાહન મળતું, પણ તેથી દુરાચાર અટક નહિ. તેથી સદાચારનો શોખ છે અને વધતા અને ઘણાં માણસે તેથી સદાચાર પ્રત્યે આકર્ષાતાં; પણ એકવાર માણસ પૂરેપૂરે પતિત થતો તે તેને ઉદ્ધાર તત્ત્વજ્ઞાન કરી શકતું નહિ; બ્રિતિધર્મ એવાને પણ ઉદ્ધાર કરી શકતો. જે માણસને સદાચારનાં સેંદર્ય કે ભવ્યતાનું ભાન થતું નથી તે માણસ પણ પરલેકની બીકથી સુધરી સદાચારી થાય છે એ અનુભવે સિદ્ધ વાત છે.