________________ એમ ખ્રિસ્તિ થયું. 213 રહે છે. ખ્રિસ્તિ ધર્મનાં બંધારણ અને વ્યવસ્થા હવે એક રાજ્યના જેવાં થઈ પડ્યાં હતાં અને તેનાં દૃષ્ટિબિંદુ રોમના રાજ્યથી તદન ભિન્ન હતાં. તો પછી તેમનું રાજ્ય આવી સંસ્થાને પિતાના રાજ્યમાં કેમ ચાલવા દે? વળી મનુષ્ય-ભક્ષણ અને અનીતિના આરોપ ખ્રિસ્તિઓ ઉપર આ વખતે પૂર્ણ જેસથી મૂકાવા લાગ્યા હતા; ઇત્યાદિ કારણેને લીધે તે જુલમ કરવા પ્રવૃત્ત થયો હશે. અને તેના ઝનુન અને હાકેમની નબળાઈને લીધે એના વખતને જુલમ ત્રાસદાયક થઈ પડ્યો હતો. પરંતુ આ સીતમ ત્રણ કે ચાર પ્રાતમાં જ થયો હતો. આખા રાજ્યમાંથી ખ્રિસ્તિ ધર્મને નિર્મૂળ કરવાનો એ પ્રયાસ હતા. ઈ. સ. 180 માં મારકસ ઓરેલિયસ ગુજરી ગયો ત્યારથી તે ઇ. સ. 249 માં ડેસિયસ તપ્તનશીન થયો ત્યાં સુધી 68 વર્ષને એક કાલ આપણે ગણીએ તે તે કાળમાં ખ્રિસ્તિ ધર્મ ઘણો વગવાળો અને સત્તાવાન થઈ પડ્યો હત; અને રાજ્યમાં અને લશ્કરમાં ઘણે ભાગે તે અરસામાં મોટા મોટા અધિકાર ઉપર ખ્રિસ્તિ હતા. તેથી હવેથી તેમના ઉપર થતા સીતમનું સ્વરૂપ વધારે વધારે રાજકીય થતું ગયું. બ્રિસ્તિઓની સંસ્થા હવે રાજ્યમાં એક જોખમકારક તત્વ ગણાવા લાગ્યું અને તેથી તેને દાબી દેવાને પ્રયત્ન થવા લાગે. છતાં આ 69 વર્ષમાં માત્ર એ જ વખત ખ્રિસ્તિઓની શાંતિનો ભંગ થયો હતો. તે સિવાય તેમને હેરાનગતિ થઈ નહોતી. અલેક્ઝાંડર સેવેરસ તે તેમને અંતઃકરણપૂર્વક સહાય આપતો. ફિલિપ પણ તેમને બહુ અનુકૂળ હતો, એટલે બધા કે જળ-સંસ્કાર નામની બ્રિસ્તિ ધર્મની ક્રિયા પણ એણે ક્યનું કહેવાય છે. પણ તે વાત વિશ્વસનીય નથી. આ પ્રમાણે ખ્રિસ્તિ ધર્મને ડો રમમાં રોપવામાં આવ્યો ત્યારથી લગભગ બસે વર્ષને ઈતિહાસ આપણે જે. આ અરસામાં જે કે ખ્રિસ્તિઓ ઉપર પ્રસંગોપાત જુલમ થયું છે અને તેમણે હિંમતથી સહન કર્યો છે, પરંતુ કદાચ નીના સીતમ સિવાય બીજે કઈ જુલમ એ નહી તે કે જેથી કરીને તે ધર્મ રાજ્યમાંથી નિર્મલ થઈ જાય. મારકસ