________________ 212 યુપીય પ્રજાના આચરણને ઇતિહાસ. ઈ. સ. 64 ના આખર ભાગમાં નીરએ એ સીતમની પ્રથમ શરૂઆત કરી; કારણ કે રામને આગ લગાડવાનું આળ ખ્રિસ્તિ ને માથે મૂકાયું હતું. રોમમાં બ્રિસ્તિઓની સંખ્યા તે વખતે વધી ગઈ હતી અને તેઓ લોકપ્રિય બિલકુલ નહેતાં. કેટલાકને જંગલી જાનવરની ખાલ પહેરાવી કુતરાઓ પાસે ફાડી નખાવ્યા હતા. કેટલાકને ડામરનાં કપડાં પહેરાવી નીરના બગીચામાં જીવતા બાળી મૂક્યા હતા. કેટલાકને ફસ ઉપર ચોડી દીધા હતા. આમ અનેક મુઆ હતા. ઇ. સ. 68 માં નીરે મરી ગ. પછી ર૭ વર્ષ સુધી ખ્રિસ્તિઓને સંપૂર્ણ શાંતિ રહી હતી. પરંતુ ડેમિશિયનના સમયમાં ઈ. સ. 95 માં પાડે છેડે સમય તેમના ઉપર જુલમ થયો હતો. આ જુલમનું કારણ બરાબર જણાયું નથી. પરંતુ ખ્રિસ્તિ ધર્મ જેવી મજબુત સંસ્થા ઉપર અસર કરી શકે એવા પ્રકારને આ જુલમ નહતા. ઈ. સ. 96 માં નરવા ગાદીએ આવ્યું ત્યારથી તે ઈ. સ. 180 માં મારકસ ઓરેલિયસ ગત પ્રાણ થશે ત્યાંસુધીને સમય લેકને શાંતિ અને સુખને હતે. અને તે સમય ખ્રિસ્તિઓને પણ અગત્યને નીવડે, કારણ કે આ સમયમાં ખ્રિસ્તિઓની સંખ્યા ઘણી વધી અને એવી સત્તા એ ધર્મ જમાવી દીધી કે રાજ્યમાં એક અગત્યની સંસ્થા એ ધર્મ ગણવા લાગે; અને ગમે તેવા ભયંકર હુમલા તેના ઉપર થાય તે પણ તે ટકી શકે એવી તેનામાં શક્તિ આવી. આ ચોરાશી વર્ષમાં છૂટા છવાયા જુલમ ખ્રિસ્તિઓ ઉપર પ્રાંતમાં થયા છે, પણ તેથી ધર્મને ધકકો લાગે એવું કઈ વિન આવ્યું નથી; અને રેમમાં બ્રિસ્તિઓ જાહેરમાં પિતાને ધર્મ નિર્ભયતાથી પાળતા. કવચિત ખ્રિસ્તિઓને અનુકૂળ કાયદાઓ પણ થતા; અને બની શકે તેટલું તેમનું સંરક્ષણ થતું. અત્યાર સુધી યહુદી ધર્મની શાખા રૂપ તે ધર્મ ગણાત હતા, પણ હવે તે સ્વતંત્ર જૂદો ધર્મ ગણાવા લાગે; અને યાહુદીઓ વિરૂદ્ધ કાયદાઓ થતા તેમાંથી ખ્રિસ્તિઓને મુક્તિ મળવા લાગી. પરંતુ મારકસ ઓરેલિયસના રાજ્યના છેક આખર સમયમાં ખ્રિસ્તિઓ વિરૂદ્ધ ફરમાન નીકળવા લાગ્યાં. આવા કમળ અને સારા માણસે સાતમનું કામ કેમ હાથમાં લીધું હશે તેનું આપણને અનુમાન જ કરવાનું