________________ 210 યૂરોપીય પ્રજાના આચરણને ઈતિહાસ. ધાર્મિક ધાસ્તીઓ ઉપજાવી લેકનાં મન ઉશ્કેરવાને, જે કઈ પ્રયાસ કરે તે તેની ચીડ વિધર્મીઓને ઘણી હતી; અને ઘણું જ ગંભીર પ્રકારને ગુને તેઓ તેને ગણતા હતા. હવે ખ્રિસ્તિ એમ કહેતા કે ખ્રિસ્તિઓ સિવાય આખી દુનિયા નરકમાં પડવાની છે અને નરકનું બહુ બીહામણું ચિત્ર તેઓ આપતા; અને અજ્ઞાની અને નિર્બળ મનના માણસ ઉપર એની બહુ અસર થતી. તેથી જ મારકસ ઓરેલિયસે કાયદે કર્યો હતો કે આવી વર્તણુક જે ચલ તેને એક બેટમાં દેશ-નિકાલ કરે. પરંતુ તેમની સતાવણીનું મુખ્ય કારણ તે એ છે કે બીજાના ધર્મ પ્રત્યે તેમની અસહિષ્ણુતા અને અંટસ ઘણાં હતાં. જે ધર્મ બીજા ધર્મની ઈર્ષ્યા ન કરે તે ધર્મ પછી ગમે તે હોય તે પણ તે ચાલવા દેવાને રોમન લેકે લગભગ તૈયાર હતા. પણ ખ્રિસ્તિ ઉપદેશકે તે કહેતા કે બીજા બધા ધર્મો સેતાનના છે અને તે બધા ધર્મોના અનુયાયીઓની અધેગતિ જ ચોક્કસ છે. તેથી બધાને ખ્રિસ્તિ કરવાને તેમને આગ્રહ હતો. તેથી કરીને બધા મૂર્તિપૂજકાનું તેઓ અપમાન કરતા અને તેમની મૂર્તિ ઓને પણ અપમાન આપતા. આથી કરીને રાજનીતિને જાણવાવાળા પુરૂષો ઉશ્કેરાઈ જતા અને કહેતા કે આવા ધર્મને ચાલવા દેવાથી અન્ય ધર્મોની સ્વતંત્રતા રહેશે નહિ; અને પાછળથી સર્વોપરી સત્તા મળતાં કેથેલિક ધર્મ ધમને નામે ત્રાસ પણ ઘણે વરતાવ્યું છે. ધર્મની બાબતમાં તીવ્ર અસહિષ્ણુતા પ્રિસ્તિ ધમાં ન હતી. બીજા સૈકામાં પણ તેઓએ નિયમ કર્યો હતો કે નાસ્તિક કે અહિ કાર પામેલા કોઈ માણસ સાથે કોઈ ખ્રિસ્તિએ કોઈ પણ જાતને વહેવાર રાખે નહિ. આથી કરીને ઘણું લકોની અંદગી ઝેર સમાન થઈ પડતી; અને તેઓએ વર્તાવેલા કેરના અનેક દાખલા તિહાસમાંથી મળી આવે છે. આ પ્રમાણે બ્રિતિ ધર્મના ધસારાથી અન્ય ધર્મોની સ્વતંત્રતાને ભય ઉપન્યો હતોએટલું જ નહિ પણ વિચાર અને વાણીની સ્વતંત્રતા કે જે રેમની સંસ્કૃતિનાં ઉત્તમ ફળ હતાં તેમને પણ જોખમ હતું. ખ્રિસ્તિ ધર્મ માણસના વિચાર અને વર્તન ઉપર પણ અમલ ચલાવવાની પિતાની સત્તા