________________ રામ ખ્રિસ્તિ થયું. 197 ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ તેના ઉપર બહુ ઉપકાર હતા. લ્યુશિયન કહે છે કે લુચ્ચા જાદુગરને ખ્રિસ્તિઓના ભોળપણને લાભ લઈ ખ્રિસ્તિ થઈ જવાનું અને પિતાની સ્થિતિ આબાદ કરી લેવાનું તેથી બહુ ફાવતું. યુવાન અને ભોળા વર્ગમાં ખ્રિસ્તિઓ પિતાની ચાલાકી બતાવતા એમ સેન્સસ કહેતે. અલ્પિયનના કાયદામાં એવા ખ્રિસ્તિઓને ગુનેગાર ગણ્યા હતા એમ ધારવામાં આવે છે. અર્વાચીન સમયમાં થતી વિવેચનાથી પણ આ બાબતમાં કાંઈક અજવાળું પડે છે. અવલોકન કરતાં એવું જણાયું છે કે વળગાડનાં ચિહ્ન દીવાનાપણું અને વાઈનાં ચિહને ઘણાં મળતાં આવે છે; દબદબા ભરેલી ધાર્મિક ક્રિયાઓથી એ દરદ મટે કે થાય એ વાત બને તેવી છે; એવા વ્યાધિમાં સૂચક સવાલ પૂછવામાં આવે તે ધારેલા જવાબ મળી શકે છે; અને ખ્રિસ્તિ વૃદ્ધોનાં લખાણે તપાસતાં માલમ પડે છે કે બધા દરદીઓ સારા થઈ શક્યા નથી, તેમ એકવાર મટયા પછી તે દરદ પાછું દરદીને ન થાય એવું પણ હમેશાં બન્યું નથી. વળી એમ પણ જણાયું છે કે ભૂત કાઢવાને પરવાને ખ્રિસ્તિઓમાંથી જેને જોઈએ તેને પ્રથમ મળતો; ધાર્મિક ધુતારાઓના એ જમાનામાં અને વળી ખ્રિસ્તિ ગુરૂએ ઘણું ભેળા હોવાથી, આવા પરવાનાથી ઠગારાઓને ઘણી સગવડતા મળતી; ચોથા સૈકામાં જ્યારે લેડેશિયનની સભામાં એવું ઠરાવવામાં આવ્યું કે મુખ્ય ધર્મગુરૂ જેને કહે તેને જ તે સત્તા આપવી, ત્યારે એવા ચમત્કાર ત્વરાથી ઓછી થઈ ગયા અને પાંચમા સૈકાની શરૂઆતમાં જ પિસિડેનિયસ નામના વૈષે વળગાડના અસ્તિત્વને ઇનકાર કર્યો હતો. સારાંશ કે રેમ ખ્રિતિ કેમ થયું? એ પ્રશ્નનું નિરાકરણ કરવામાં પૂરાવાની વ્યવસ્થાને અગત્યનું સ્થાન પ્રાપ્ત થતું નથી. આ પૂરાવામાં ચાર પ્રકારના ચમત્કારેને સમાવેશ થાય છે; યહુદી ધર્મમાંથી ઉતરી આવેલા ઐતિહાસિક ચમત્કાર; સમકાલીન ખ્રિસ્તિ કોના ચમત્કાર; ભવિષ્ય કથનો અને આગાહીઓ; અને ભૂત કાઢવાને પ્રચાર. ઐતિહાસિક વિવેચનાની અપૂર્ણતાને લીધે પ્રથમ પ્રકારના ચમહ્મરને અપીલ કરવી નકામી હતી.